Junagadh

ઉકળતી ગરમીમાં મુસાફરોને રાહત: ભાવનગર મંડળના જૂનાગઢ સ્ટેશન પર નિઃશુલ્ક છાશનું વિતરણ

ભીષણ ગરમી અને વધતા તાપમાનને ધ્યાનમાં રાખીને યાત્રિયોને રાહત પહોંચાડવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જનહિતમાં વિશેષ પહેલ કરવામાં આવી છે. આ અનુક્રમે શુક્રવારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે નિઃશુલ્ક છાશ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે જૂનાગઢ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વિસ્તારમાં મુસાફરોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકોને છાશ ઉપલબ્ધ કરાવવામાં આવી, જેના કારણે તેમને ઉકળતી ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળી.

નિઃશુલ્ક છાશ વિતરણ સેવામાં “આયુષ હોસ્પિટલ-જૂનાગઢ”નું સરાહનીય સહયોગ પ્રાપ્ત થયો. “આયુષ હોસ્પિટલ-જૂનાગઢ” દ્વારા યાત્રિયો માટે નિઃશુલ્ક 200 લીટર છાશની વ્યવસ્થા કરવામાં આવી.
સ્ટેશન પર આ વ્યવસ્થાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં ભાવનગર મંડળના વાણિજ્ય વિભાગના નિરીક્ષકો, ટિકિટ ચેકિંગ સ્ટાફ તથા અન્ય કર્મચારીઓએ સક્રિય ભૂમિકા ભજવી અને વિતરણ કાર્યને સુવ્યવસ્થિત તથા સુરક્ષિત રીતે પૂર્ણ કર્યું.

આ પ્રસંગે મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી દિનેશ વર્માએ જણાવ્યું હતું કે, “ઉકળતી ગરમી દરમિયાન મુસાફરોને રાહત પહોંચાડવી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ભાવનગર મંડળ દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી આવી જનહિતકારી પ્રવૃત્તિઓ સતત આયોજન કરવામાં આવી રહી છે. આ પહેલ અમારી સામાજિક પ્રતિબદ્ધતા અને મુસાફર હિત પ્રત્યેની સંવેદનશીલતાનું પ્રતિબિંબ છે.”

ભાવનગર મંડળ દ્વારા એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે મુસાફરોને સુરક્ષિત, સુવિધાજનક અને માનવીય સેવાઓ સતત ઉપલબ્ધ રહે. ઉકળતી ગરમી દરમિયાન આ પ્રકારની રાહત સેવાઓ આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: એબીએનએસ: જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ…

કેશોદ અને માંગરોળ ખાતે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત મંત્રી શ્રી ડો. પ્રદ્યુમન વાજાના હસ્તે

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, પ્રાથમિક-માધ્યમિક તથા ઉચ્ચ અને તાંત્રિક…

જૂનાગઢ પોસ્ટ ઓફિસમાં તારીખ ૨૧ જુલાઈ ના રોજ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાં કોઈપણ જાહેર વ્યવહાર થશે નહીં

જૂનાગઢ, સંજીવ રાજપૂત: પોસ્ટ વિભાગ દ્વારા નેક્સ્ટ જનરેશન એપીટી એપ્લિકેશન લોન્ચ…

જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી

જૂનાગઢ: સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦…

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *