Breaking NewsLatest

ધનસુરા ના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

૨૫ તારીખ થી ૨૭ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા ના નવી શિણોલ ગામે શ્રી રામજી મંદિર નું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે નવી શિણોલ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.નવી શિણોલ ગામે શ્રીરામ પરિવાર તથા કુળદેવી મા અર્બુદા, શ્રી રાધાકૃષ્ણ, શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ અને અરવલ્લી જિલ્લામાં સૌ પ્રથમ સ્ફટિક શિવલિંગ શ્રી રામેશ્વર મહાદેવના નૂતન મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ તથા નવ કુંડાત્મક મહાવિષ્ણુયાગ યોજાશે.
જેમાં ૨૫-૫-૨૦૨૨ તારીખ થી ૨૭-૫-૨૦૨૨ તારીખ સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે. પ્રથમ દિવસે પ્રારંભ, અગ્નિ સ્થાપન, મહાવિષ્ણુયાગ, આરતી રાત્રે ડાયરો યોજાશે સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ બાઘાભાઈ (તન્મય વેકરીયા) ઉપસ્થિત રહેશે.બીજા દિવસે શોભા યાત્રા, મહા વિષ્ણુયાગ, જલાધિવાસ, આરતી, રાત્રે રાસ ગરબા યોજાશે જેમાં પ્રસિદ્ધ ગાયક કલાકાર પાર્થ ચૌધરી ઉપસ્થિત રહેશે. તો ત્રીજા દિવસે પ્રાતઃ પુજન, ધ્વજા આરોહણ, શિખર સ્થાપના, મહા વિષ્ણુયાગ, પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞ પૂર્ણાહુતિ, મહા આરતી, મહા પ્રસાદ અને સાંજે ધર્મસભા અને ભજન સંધ્યા જેવા વિવિધ કાર્યક્રમો યોજાશે. ત્રણ દિવસ ના આ કાર્યક્રમ માં અનેક સંતો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ માં દાતા શ્રીઓ, સહ યજમાન દાતા શ્રીઓ , પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના પાટલાના યજમાન દાતા શ્રીઓ સહિત ગામ લોકો અને આજુબાજુ ના ગામ લોકો ઉપસ્થિત રહેશે.આ ભવ્ય આયોજન સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ નવી શિણોલ અને ગ્રામજનો ધ્વારા કરવામાં આવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

1 of 713

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *