Breaking NewsLatest

અંબાજીમા રાધાકૃષ્ણ મંદીર ખાતે રથયાત્રાની પરીક્રમા અને આરતી કરવામાં આવી

(અમિત પટેલ.અંબાજી)
અંબાજી ગુજરાત નું લોકપ્રિય શક્તિપીઠ છે આ ધામ ગુજરાત અને રાજસ્થાન ની સરહદ પર આવેલું છે આ ધામ અરાવલી ના પહાડો મા આવેલું માં અંબા નું પ્રાચીન તીર્થ છે, આ ધામ મા માતાજી નું ભવ્ય મંદિર આવેલું છે આ સિવાય અન્ય ભગવાન ના મંદિરો પણ આવેલા છે ત્યારે આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર ના ભટ્ટજી મહારાજ દ્વારા અંબાજી મંદિર પાછળ આવેલા માનસરોવર મા જઈ વિધિ વિધાન થી અષાઢી બીજ ની પુજા કરવામાં આવી હતી ,આ વિધી પ્રાચીન પરંપરા થી ચાલી આવી રહી છે, અષાઢી બીજ થી અંબાજી મંદિર નો સમય બદલાય છે અને હવે આરતી દિવસ મા બે વાર થશે.


આજે અષાઢી બીજ હોઈ અંબાજી મંદિર પાછળ આવેલા રાધા કૃષ્ણ મંદિર થી રથયાત્રા કોરોનાના કારણે નીકાળવામા આવી હતી નહી અને અંબાજીના ગુલઝારી પુરા ખાતે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી.અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતીના સભ્યો સહીત પ્રમુખ પણ હાજર રહ્યા હતા. અંબાજીના અમુક ભક્તો પણ રાધાકૃષ્ણ મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા .રથયાત્રા રાધા કૃષ્ણ મંદિર ની માત્ર પરીક્રમા કરી રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.આજે વરસાદી માહોલ વચ્ચે અંબાજીના લોકો ભગવાન નાં દર્શન કરવા આવ્યા હતા.2020 અને 2021 મા પણ કોરોના ને પગલે રથયાત્રા નિકળી હતી નહિ. અંબાજી ધાર્મીક ઉત્સવ સેવા સમિતિ નાં પ્રમૂખ અને સભ્યો હાજર રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *