Breaking NewsLatest

અંબાજી ખાતે ઉતરાયણ ના પવિત્ર દિવસે નાગા સાધુઓ શાહી સ્નાન માટે આવ્યા

અમિત પટેલ.અંબાજી

ગુજરાતનુ મોખરાનુ પવિત્ર યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અરાવલી પર્વતમાળાની ગિરિમાળાઓ વચ્ચે અંબાજી ધામ વસેલું છે અને આ ધામ નજીક પહાડો પરથી સરસ્વતી નદી નીકળે છે ત્યારે આજે ઉતરાયણ ના પવિત્ર દિવસે માન સરોવર ધુણી થોડા દિવસ અગાઉ ખુલતા આ પ્રસંગે આજે વિવિધ સંતો આવ્યા હતા જેમાં નાગા સાધુઓ પણ મોટી સંખ્યામાં જોડાયાં હતા.


અંબાજી માન સરોવર ખાતે મોટી સંખ્યામા નાગા સાધુઓ આવ્યાં હતા અને નૃત્ય કર્યું હતું. અંબાજી ના ઇતિહાસ મા પ્રથમ વખત નાગા સાધુઓ ઉતરાયણ ના પવિત્ર દિવસે ભેગા થયા હતા અને તેઓ કોટેશ્વર ખાતે શાહી સ્નાન કરવા નીકળ્યા હતા. ડીકે સર્કલ થી પાલખી યાત્રા પણ જોડાશે. આમ હવે દર વર્ષે કોટેશ્વર મહાદેવ ખાતે શાહી સ્નાન શરૂ થશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *