Breaking NewsLatest

અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી આઠમે જવેરા વિધિ યોજાઈ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.2 એપ્રિલ થી અંબાજી મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે 2 એપ્રિલ ના રોજ અંબાજી મંદિર ખાતે માતાજીના વાઘ પાસે ઘટ સ્થાપના કરવામાં આવી હતી અને રોજ સવારે બીજાં નોરતા થી આઠમ સુધી મંગળા આરતી કરવામાં આવતી હતી ત્યારે આજે નવરાત્રી આઠમ હોઇ બપોરે 12 કલાકે અંબાજી મંદિર ખાતે જવેરા વિધિ યોજાઈ હતી.


આજે બપોરે અંબાજી મંદિર ખાતે 12 વાગે માતાજીને રાજભોગ થાળ ધરાવ્યા બાદ ભટ્ટજી મહારાજ ની ઉપસ્થિતિ મા માતાજીના વાઘ પાસે જવેરા વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી યોજાઇ હતી જેમાં અંબાજી મંદિર ના ગાદીના મહારાજ અને અન્ય મહારાજ જોડાયા હતા.જવેરા માતાજીને અર્પણ કરવામાં આવ્યા બાદ આઠમના હવન મા આહુતિ આપવામાં આવી હતી. નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા હતા.8 થી 10 એપ્રિલ સુધી ગબ્બર 51 શક્તિપીઠ નો કાર્યક્રમ મહોત્સવ ગબ્બર ખાતે ચાલી રહ્યો છે અને ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *