Breaking NewsLatest

“અંબાજી મંદિર ના દર્શન મા ભક્તો રેમ્પ પર ઊભા રહી દર્શન કરી શકશે, નવું નજરાણું “

(અમિત પટેલ.અંબાજી)
શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ છે, હાલમાં અંબાજી મંદિર 13 એપ્રિલ થી ભક્તો માટે બંદ રાખવામા આવ્યું છે ત્યારે અંબાજી મંદીર ટ્રસ્ટ તરફથી ભક્તો માટે દર્શન સરળતાથી થઈ શકે તે માટે રેમ્પ બનાવવામાં આવ્યો છે અને હવે જ્યારે મંદીર ના દ્વાર ભક્તો માટે ખુલશે ત્યારે સમગ્ર નાના મોટા લોકોને માતાજીનાં દર્શન સરળતાથી થઇ શકશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ભક્તોની સુખાકારી માટે સરસ નિર્ણય લઈને માતાજીના વાઘ થી મંદીરના પૂજારી બેસે છે ત્યાં સુધીના ભાગને ઢાળ આપી ઉતરતો રેમ્પ વોક બનાવવામાં આવ્યો છે, જેની ઊપર ભક્તો સરળતાથી ઊભા રહી માતાજીનાં દર્શન કરી શકશે , પાછળ ઊભેલા વ્યક્તિને પણ સરસ દર્શન થઈ શકશે.

@@ પુરુષ અને સ્ત્રી વિભાગ મા રેમ્પ બનાવવામાં આવ્યો @@

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી છેલ્લા 20 દીવસ કરતા વઘુ સમયથી ભકતોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે રેમ્પ બનાવવામાં આવ્યો છે જેમા પુરુષ અને સ્ત્રી લાઈનમાં બંને તરફ ઊભેલા લોકોને માતાજીનાં દર્શન સરળતાથી થઈ શક્શે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *