Breaking NewsLatest

અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણ કરાયું

જામનગર: પર્યાવરણને બચાવવા માટે અનોખી પહેલ કરવામાં જામનગરની નવાનગર નેચર કલબ અગ્રણી છે.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ સંસ્થા પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ ગ્રીન વોક અને સાઇકલ રેલીનું આયોજન કરે છે.પરંતુ વર્તમાનમાં કોરોના મહામારીના કારણે લોકો ઘરમાં રહે સુરક્ષીત રહે તે ધ્યાને લઇ માત્ર વૃક્ષારોપણ કરી સંપૂર્ણ સાદગી પૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
આજે સમગ્ર વિશ્વ પ્રદૂષણની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યું છે. તાજેતરમાં કોરોના મહામારીમાં ઓક્સિજનના અભાવે અનેક લોકોએ જીવ ગુમાવ્યાંના દાખલાઓ સામે આવ્યા છે.જેન કારણે લોકોને હવે વૃક્ષોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કપાતા જંગલો અને માનવનિર્મિત પ્રદૂષણને કારણે આજે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટી તરફ જઈ રહ્યું છે.
હાલ કોરોના મહામારીની વર્તમાનમાં પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા ઠેબા ચોકડી નજીક નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને દેશને પ્લાસ્ટિક કચરાથી મુક્ત કરવા માટે ઇક્કો બ્રિક સિસ્ટમ અપનાવવા માટે શ્રી શરદભાઈ શેઠ દ્વારા ઇક્કો બ્રિક વિશે માહિતી આપવામાં આવી હતી. તદુપરાંત દિવસે દિવસે ઘટતું જતું જળ સ્તર માટે જળ સંગ્રહ અને સંચય પદ્ધતિ અપનાવવા માટે લોકો આહવાન કરવામાં આવ્યું હતું.વર્ષાદી પાણીના સંગ્રહ માટે કુવા અને બોર રિચાર્જ પદ્ધતિથી થતા ફાયદા વિશે સંસ્થાના પ્રમુખશ્રી વિજયસિંહ જાડેજાએ માહિતી આપી હતી.


પર્યાવરણ જાગૃતિ અંતર્ગત યોજેલ આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા,મેયર બીનાબેન કોઠારી, ચેરમેન શ્રી મનીષ કટારીયા, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, મહામંત્રી શ્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર શ્રીમતી હર્ષાબા પી.જાડેજા તથા સંસ્થાના ટ્રસ્ટી વિજયસિંહ જાડેજા,દિનેશભાઇ રબારી,વનરાજસિંહ ચૌહાણ,ધર્મેશ અજા, મયુરસિંહ સોઢા,મિતેષ બુદ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા તેમજ સ્વામિનારાયણ ગુરુકુળના સંતો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *