Breaking NewsLatest

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લાગેલ આગમાં દુકાનોનો આંકડો વધ્યો અંદાજે 28 દુકાનો આવી આગની ઝપેટમાં

અમદાવાદ બાપુનગર વિસ્તારમાં આવેલ શ્યામશીખર કોમ્પ્લેક્ષ ખાતે આવેલ દુકાનમાં વહેલી સવારે આગ લાગતા આસપાસની દુકાનોમાં આગની ઝપેટમાં આવી ખાખ થઈ હતી આગ લાગતા આસપાસની આશરે 28 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને બે કલાકે આગને કાબુમાં લીધી હતી. કોમ્પ્લેક્ષમાં મોટાભાગની મોબાઇલની દુકાનો હતી. દુકાનોમાં આગ લાગવાનું કરણ હજુ જાણી શકાયું નથી અને અત્યાર સુધી કોઈ જાનહાનીના સમાચાર જાણવા મળેલ નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાની તપાસનો દોર હજુ ચાલી રહયો છે. કોમ્પ્લેક્ષમાં ભોંયરામાં પણ દુકાનો હોવાનું સામે આવ્યું છે તેમાં ફાયર સેફ્ટી પણ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ફાયર વિભાગના અધિકારી રાજેશ ભટ્ટ દ્વારા જણાવ્યા મુજબ એક સાથે આ આગ કેમ ફેલાઈ તેના કારણ માટે FSL ને જાણ કરવામાં આવી સાચું કારણ તપાસ ને અંતે જાણી શકાશે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *