Latest

અરવલ્લી જિલ્લાના ભિલોડા ના અને બાયડ તાલુકા ના બે યુવાનો યુક્રેન માં ફસાયા

બાયડ ના પીપોદરા ગામ નો ધ્રુમિત પટેલ અને ભિલોડા ના નાંદોજ ટાંડા નો ભાવેશ વણજારા ફસાયા
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

હાલ માં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિ છે ત્યારે અરવલ્લી ના નાનકડા એવા નંદોજ ટાંડા નો વતની ભાવેશ વણઝારા હાલ યુક્રેન માં ફસાયેલા છે ત્યારે હાલ ની ભયજનક પરિસ્થિતિ માં પોતાના વતન માં પરત આવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યો છે ત્યારે ભાવેશ વણઝારા ના પરિવાર જનો સાથે વાત કરી અને વેદના સાંભળી

અરવલ્લી જિલ્લા ના નાનકડા એવા ભિલોડા તાલુકા ના નંદોજ ગામ નો 20 વર્ષીય ભાવેશ બાબુભાઇ વણઝારા બે વર્ષથી યુક્રેન મેડિકલ માં અભ્યાસ અર્થે રહે છે હાલ રશિયા અને યુક્રેન સાથે યુદ્ધ ની સ્થિતી છે ત્યારે યુક્રેન માં ફસાયેલા ભાવેશ વણઝારા એ પોતાના વ્હાલી ને ફોન કરી ભારત પરત લાવવા માટે સરકાર પાસે મદદ ની માંગ કરી છે ત્યારે મીડિયા સાથે પરિવારના સભ્યો ની વેદના રજુઆત કરી હતી અને ભાવેશ વણઝારા ના ગામ ભિલોડા તાલુકા ના નંદોજ ગામે ભાવેશ ના પિતા બાબુ ભાઈ વણઝારા ખેતી કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે આખા વણઝારા સમાજ માં કોઈ ડોક્ટર ના હતું તો ખૂબ દુઃખ વેઠી ને પોતાના દીકરા ને યુક્રેન મેડિકલ માં અભ્યાસ અર્થે મોકલ્યો છે ત્યારે હાલ ની તણાવ ભરી સ્થિતિ ને કારણે આખો પરિવાર ખૂબ જ દુઃખી છે પોતાનો દીકરો પરત આવે તે માટે સરકાર ને વિનંતી કરી રહ્યો છે ભાવેશ ના દાદા બા અને પિતા એ મીડિયા સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરી સરકાર પાસે દીકરા ને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી
બાયડ તાલુકાના પીપોદરા ગામના પટેલ પરિવારના હસમુખભાઈ પટેલના પુત્ર ધ્રુમિત પટેલ પણ ફસાયો છે આમ આ બંને પરિવારના યુવાનો મેડીકલ ની ડીગ્રી મેળવીને ડોકટરી લાઇનમાં એમ બી બીએસ ના અભ્યાસ અર્થે ગયેલા હતા છેલ્લા કેટલાક સમય થી યુદ્ધ થવાના ભણકારા હતા જે સ્થિતિ સારી નહિ હોય એરપોર્ટ બંધ કરી દેતા ગુજરાત સહિત ના ભારતીય યુવાનો ફસાઈ જતા ઇન્ડિયન એમ્બેસેડર અને ભારત સરકાર પાસે ભારત પરત ફરવા માટે મદદ ની માંગણી કરી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *