Breaking NewsLatest

આર્મી જવાન દેશની રક્ષા કરી નિવૃત્ત થતા પરત ફરેલા સૈનિકનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

વડગામ તાલુકાના પાવઠી ગામ ના દરબાર સમાજના યુવાન ફોજી માં ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદો ના રખોપા કરતા ૧૯ વર્ષની સેવા આપી નિવૃત થયેલ જવાન દરબાર શ્રી વિરભદ્રસિંહજી બળવંતસિહજી મુમનવાસ ગામે પહોંચતા પાવઠી ધોરી મોતીપુરા અને અંધારિયાના ગ્રામજનોએ મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત સંગીત સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી નિવૃત્ત આર્મી જવાન માદરે વતન પાવઠી ગામે આવી પહોંચતા જ તેમનું મુમનવાસ ધોરી અને પાવઠી ત્રણેય ગામ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
નિવૃત્ત આર્મી જવાન દરબાર શ્રી વિરભદ્રસિંહ જી બળવંત સિંહ ના સ્વાગત સમારોહમાં મુમનવાસ ખાતે હીતેશ પ્રજાપતિ મન્સુરી (પિન્ટુભાઈ)દ્વારા સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ધોરી ગામના સરપંચ શ્રી બાબુસિહ ફૂલહાર અને શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું


તેમજ પાવઠી ગામ એ દરબાર શ્રી દેવીસિંહજી તથા સંજયસિંહ તથા મદનસિંહ તથા ભુપેન્દ્રસિંહ તથા માહાકાળી યુવક મંડળ તરફથી તલવાર અને ચાદર ઓઢીને જોરદાર સ્વાગત કરવામાં આવ્યું તથા ધનભાતથા બેચરસિહ .તથા જામતસિહ તથા ભગવાનસિહ તથાગંભીરસિંહ તથા ભીખુસિહ .તથા ભવાનસિંહ તથા નારણસિંહ તથા જગતસિંહ તથા મફુસિહ તથા બલસિહ તથા જોરભા.તથા દલપતસિહ તથા.લેબસિહ તથા લક્ષ્મણસિંહ તથા હરદેવસિંહ તથા માસુસિહ તથા દિપસિહ તથા વિક્રમસિહ તથા પરબતસિહ તથા ઠાકરસિહ મહાકાળી યુવક મંડળ તરફથી બધા યુવાનો હાજર રહી સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રતાપસિંહ તથા કિરણસિંહ તથા જયરાજસિંહ તથા ભીખાભાઈ તથા સમગ્ર ગ્રામજનોએ તલવાર ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતુંઆ પ્રસંગ માં સમગ્ર ગામ હિલોળે ચડયું હતું ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો
નિવૃત્ત આર્મી જવાન દરબાર શ્રી વિરભદ્રસિંહ એ સ્વાગત સન્માનનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે દેશ સેવા માં જોડાવા ઇચ્છતા મારા ગામના યુવાનોને હું તમામ માર્ગદર્શન આપીશ અને દેશ સેવા માં જોડાયા આહવાન કરું છું મુમનવાસ ધોરી અને પાવઠી ના ગ્રામજનોએ સ્વાગત કર્યું એમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *