Breaking NewsLatest

ઉમરાળાના જાંજમેર ગામના યુવાનને પરિવાર જનો દ્વારા રક્તદાન કેમ્પ યોજી રક્તાંજલી અપાઈ

આહીર સમાજે દિકરાની ઉતરક્રિયાના દિવસે થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ માટે 40 બોટલ રક્ત એકત્રિત કર્યું

ઉમરાળા તાલુકાના ધોળા નજીકના જાંજમેર ગામના યુવાન સાગરભાઈ મેઘાભાઈ ચાવડા તા.20,7,2021ના રોજ પોતાના ગામ જાંજમેર થી બાઈક પર ધોળા જંકશન જઈ રહ્યા હતા ત્યારે અચાનક રેઢિયાળ પશુ આડુ ઉતરતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સાગરભાઈને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડાયા હતા ટુકી સારવાર બાદ સાગરભાઈએ દેહ છોડી દીધો હતો આહીર સમાજ અને ચાવડા પરિવાર ઉપર કુદરતે કોપ વેર્યો દુઃખ ભર્યા દિવસોમાં ચાવડા પરિવારે ઉતરક્રિયાના દિવસે આજે તા.31,7,2021 રોજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો સહિતના દર્દીઓના લાભાર્થે રકતદાન કેમ્પ યોજી 40 બોટલ રક્ત એકત્રિત કરી પોતાના દીકરાને રકતાંજલી અર્પણ કરી

તાલુકા ભરના ગ્રામીણ વિસ્તારોના રસ્તાઓ ઉપર રેઢિયાળ પશુઓ અને રોઝડા ઓનો ખૂબ ત્રાસ છે અને અનેક નિર્દોષનો ભોગ લેવાઈ છે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે તેવી ગ્રામીણ વિસ્તારના લોકોની માંગ ઉઠી રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *