Breaking NewsLatest

ઉમરાળાની સેવાકીય સંસ્થા અને ગામ લોકો દ્વારા જામનગર વિસ્તારમાં પુર પીડિતોને કીટ વિતરણ કરાઈ

ઉમરાળા આધ્યાત્મિક સાધના કેન્દ્ર અને ગામના પ્રતિષ્ઠિત અને સેવાભાવી નાગરિકો દ્વારા જામનગરના પુર પ્રભાવિત અલિયા,બાડા અને ખીમરાણા ધુવાવ વિસ્તારોમાં અનાજ,લોટ ખીચડી વગેરે જીવન જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરાયુ ગુજરાતમાં કોઈપણ ખૂણે આફત આવે ત્યારે ઉમરાળા ગામની આધ્યાત્મિક સાધના કેન્દ્ર સંસ્થા અને ગામના સેવાભાવી લોકો હંમેશા સેવા માટે તત્પર હોય છે જામનગરના પૂરગ્રસ્ત લોકોની મદદમાં આ વખતે સેવાભાવી સહયોગીઓ નિલેશભાઈ સવાણી,ધર્મેન્દ્રભાઈ લાખાણી, વિનોદભાઈ સવાણી, હરસિંગભાઈ હાંહડ અને બાપા સીતારામ મઢી ગ્રુપનો સહયોગ મળ્યો હતો બાપા સીતારામ મઢી ગ્રુપના યુવાનો કીટ પેકીંગ અને વિતરણમાં ખડે પગે હાજર રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *