Breaking NewsLatest

ઉમરાળા ગામના નવા સરપંચે ગામની રોનક ફેરવી નાખી ગ્રામજનો કહે છે કે સરપંચ હોય તો આવા

ઉમરાળા ગ્રામ પંચાયતમાં નવા સરપંચ આવ્યાને 15 દિવસ થયા

ઉમરાળા ગામના નવ નિયુક્ત સરપંચ હાલ તાલુકામાં ચર્ચાનો વિષય બન્યા માત્ર 19 દિવસમાં 24 જેટલા નાના મોટા કામોને પંચાયતમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર પુરા કર્યા છે આજ રોજ ઉમરાળા ગામના નવનિયુક્ત સરપંચ ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ હેજમ દ્વારા પ્રથમ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ગામના વિવિધ પ્રશ્નો જેમકે ગટરના પ્રશ્નો,પાણીના પ્રશ્નો,રોડ રસ્તાના પ્રશ્નો,સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો,સફાઈ કામના પ્રશ્નો વિગેરે પ્રશ્નો અંગે માહિતગાર કરી આગામી કામોના આયોજનની માહિતી આપવામાં આવી હતી ઉમરાળામાં માત્ર ૧૯ દિવસમાં પંચાયતમાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર અંદાજે 6 થી 7 લાખના ખર્ચે ગટરના રીપેરીંગ, પાણીની લાઇનના રીપેરીંગ,રોડ રસ્તાના રીપેરીંગ,નવા બગીચા, એલઇડી લાઈટો,સ્ટ્રીટ લાઈટના નવા પોલ,પંચાયત હેલ્પલાઇન નંબર,પંચાયત ઘરનું ફર્નિચર સાથે રીનોવેશન,વગેરે ૨૪ કામો કરનાર સરપંચ ધર્મેન્દ્રભાઈના કામની તાલુકા વિકાસ અધિકારીએ પ્રશંસા કરી હતી તેમજ ઉમરાળા ગામના વતનીને ભુતપૂર્વ તલાટી મંત્રી રણધિરસિંહ ગોહિલ દ્વારા ધર્મેન્દ્રભાઈ તેમજ તેમની સમગ્ર ટીમને અભિનંદન આપી ધર્મેન્દ્રભાઈ ની ગામ પ્રત્યેની લાગણી અને સેવાને બિરદાવી હતી ત્યારબાદ ઉમરાળા ગામના લોકપ્રશ્નો ને વાંચા આપવામાં આવી હતી આ ગ્રામ સભામાં ગામના સરપંચ,તાલુકા પંચાયત પ્રમુખ,તાલુકા વિકાસ અધિકારી, ઉમરાળા ગ્રામ પંચાયત તલાટી મંત્રી,ગ્રામ પંચાયતના સદસ્યો, ગામના વશિષ્ઠ આગેવાનો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *