Breaking NewsLatest

ઉમરાળા ગામે આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે આયુષ્માન કાર્ડની સેવા શરૂ કરાઈ

ઉમરાળા તાલુકાની સેવાભાવી સંસ્થાઓમાં હર હમેશ મોખરે રહેતી આધ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ હંમેશા શરૂ જ હોય છે હાલમાં સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડને આયુષ્માન કાર્ડ તરીકે કનવર્ટ કરીને ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સંદર્ભે આઘ્યાત્મિક સાધના કેન્દ્ર ખાતે 3 ઓપરેટર રાખીને ઉમરાળા તાલુકાના લોકોને સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે એવી સગવડ કરવામાં આવી છે આજે પ્રથમ દિવસથી જ લાભાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો હતો જ્યાં સુધી તમામ લોકોને કાર્ડ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી સેવા ચાલુ રાખવામાં આવશે તેમ આઘ્યાત્મિક સાધના કેન્દ્રના ધર્મેન્દ્રભાઈ દ્વારા યાદીમાં જણાવ્યુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *