Breaking NewsLatest

કોરોનામાં અનેક ધંધા પડી ભાંગ્યા, જ્યાં અનેક લોકોએ રોજગારી ગુમાવી, ત્યાં કોલકાત્તાના બે ભાઈઓને એવો વિચાર આવ્યો કંઈક નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ. આ માટે તેમને ગુજરાત યાદ આવ્યું. કારણ કે, તેઓએ રિસર્ચમાં જાણ્યુ કે, દેશમાં સૌથી વધુ ચા ગુજરાતમા પીવાય છે. પરંતુ ચાના શોખીન ગુજરાતીઓને કંઈક નવુ આપવાની જરૂર હતી. તેથી તેઓ બિયર અને વ્હીસ્કી ફ્લેવરની ચાનો આઈડિયા લઈ આવ્યા. પછી તો આ બિઝનેસ એવો ધમધોકાર ચાલ્યો કે, હાલ તેમણે સુરતમાં બીજુ આઉટલેટ શરૂ કર્યુ છે

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

તેમના કેફેમાં ચીનથી ખાસ ચા આવે છે, જેમાં વ્હીસ્કી અને બિયરની ફ્લેવર હોય છે. જોકે આ નોન-આલ્કોહોલિક હોય છે. તેમાં માત્ર ફ્લેવર જ હોય છે. એપલ જ્યુસ અને મનિરલ વોટર મિક્સ કરીને વ્હીસ્કી અને બિયરની ચા બને છે. પરંતુ સુરતીઓને આ ચા એટલી ગમી ગઈ છે કે, અહીં પીવા આવનારા વધી ગયા છે. આ ફ્લેવર્ડ ચાની પત્તીનો કિલોનો ભાવ 20 થી 25000 રૂપિયા છે. આ ચા હેલ્થના દ્રષ્ટિએ પણ ઉત્તમ છે. કારણ કે તેમાઁથી વિટામિન-ઈ મળે છે..રાહુલ સિંઘ કહે છે કે, કોવિડના સમયે સ્ટાર્ટઅપ શરૂ કરવું અમારા માટે મોટી ચેલેન્જ હતી. આ માટે મેં નોકરી છોડી. તો મારા પિતરાઈ ભાઈ અભિષેક સિંઘે એવિયેશન ફિલ્ડમાં કેબિન ક્રુ મેમ્બરની નોકરી છોડી. અમે બંનેને ચા વિશે પેશન હતી, તેથી રિસર્ચ શરૂ કર્યુ. હુ મારી ઓડિટની નોકરી દરમિયાન પણ ચાનુ રિસર્ચ કરતો હતો, જે મને હવે જઈને કામમાં આવ્યુ હતું. દોઢ વર્ષ પહેલા અમે કેફે શરૂ કર્યું. અમે માર્કેટમાં નવી ફ્લેવર અને અનોખા નામવાળી ચા લઈને આવ્યા. જેથી તે વધુ પોપ્યુલર થવા લાગ્યુ. ચા બનાવવા માટે સૌથી વધુ જરૂરી છે તેને બનાવવા માટેનુ ટેમ્પરેચર અને સમય. જો એ પરફેક્ટ હોય તો જ ચા યોગ્ય રીતે બને. આમ, અમે બિયર અને વ્હીસ્કીની ચા લઈ આવ્યા. આજે અમારુ ટર્નઓવર મહિને 5 થી 6 લાખનુ છે.હાલ આ કેફેમાં માત્ર બિયર અને વ્હીસ્કી ચા જ નહિ, પરંતુ અહીની વ્હાઈટ ટી પણ પોપ્યુલર છે. વ્હાઈટ ટીની ખાસિયત એ છે કે, તેમાં એન્ટી એજિંગ, એન્ટી નેચરલના ગુણો છે. સાથે જ અહી મોટાભાઈ ચા, ઓલંગ ટી, હમારીવાલી ચાય, મિલ્ક બેઝ્ડ સૌથી હોટ સેલિંગ છે.

નોકરી છોડીને બે ભાઈઓનું સ્ટાર્ટઅપ દારૂબંધીવાળા રાજ્યમાં પીવડાવે છે વ્હીસ્કી અને બિયરની ચા.

દેશમાં સાવથી વધુ ચા ગુજરાતમાં પીવાય છે…

સુરતમાં દોઢ વર્ષ પહેલા કેફે શરૂ કર્યું હતું..

આ કેફેમાં ચીન ખાસ ચાવે છે..

ચા પત્તીનો કિલો નો ભાવ ૨૫૦૦૦ રૂપિયા છે..

આ ચા હેલ્થના દ્રષ્ટિએ પણ ઉત્તમ છે કારણકે તેમાંથી વિટામિન-ઈ મળે છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *