Breaking NewsLatest

ગબ્બર ખાતે માઈ ભક્તનું હૃદય રોગનો હુમલો આવતા મૃત્યું થયું

 

 

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે તાજેતરમાં દેવદિવાળી પર્વ સુખ સંપન્ન રીતે પૂર્ણ થયો છે ત્યારે હાલમાં પણ મા અંબાના ભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર ગબ્બર પર્વત ઉપર સાડા દસ કલાકે સવારે ભાવનગરના પિતા-પુત્ર ગબ્બર ખાતે દર્શન કરવા આવ્યા હતા ત્યારે પિતાને છાતીના ભાગમાં દુખાવો થતાં તેઓ ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવારના ભાગરૂપે અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતક ભાઈ ભાવનગર ના રહેવાસી હતા જેમનું નામ હિરેનભાઈ પડીયાદરા, ઉંમર 45 વર્ષહતી. જેઓ પોતાના પુત્ર પ્રિયંકભાઈ સાથે ગબ્બર દર્શન કરવા આવ્યા હતા. તેમના પુત્રના જણાવ્યા અનુસાર તેમને બીપી નો પ્રોબ્લેમ હતો. લગભગ સાડા દસ કલાકે ગબ્બર ખાતે છાતીના ભાગે દુખાવો ઉપડતા તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. ગબ્બર મંદિરના ગિરીશ ભાઈ મહારાજ અને રોપવે સ્ટાફ ની ઝડપી કામગીરી થી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પણ મૃતક ભાઈ ને બચાવી શકાયા ન હતા.

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 667

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *