Breaking NewsLatest

ચીખલા પાસે અકસ્માત,4 ગાય ના મોત 3 ઘાયલ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત રાજસ્થાન ની સરહદ પર આવેલુ છે. તાજેતરમાં શરદ પૂર્ણિમાનો મહોત્સવ સુખરૂપ સંપન્ન થયો છે ક્યારે ગુરુવારે સવારે અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જતા 4 ગાયોના મોત થયા હતા 2 ગાય ખુબજ ગંભીર અને 1 ગાય ઘાયલ થઈ હતી.


સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે અંદાજે 9:30 કલાકે અંબાજી થી ખેડબ્રહ્મા તરફ ટ્રક જઈ રહ્યો હતો ચીખલા ગામ થી આગળ હનુમાનજી મંદિર પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પર રોડ જઈ રહેલી 7 ગાયોને અડફેટમાં લીધી હતી જેમાં ચાર ગાયોનું ઘટના સ્થળે મોત થયું હતું અને બે ગાય ખૂબ જ ગંભીર હાલતમાં છે અને એક ગાય ઘાયલ થઈ હતી. ઘટનાની જાણકારી મળતા શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર કુંભારિયા અંબાજી ના સભ્યો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગાય ની સારવાર હાથ ધરી હતી અને ટ્રક ચાલકને હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા. ટ્રક હાલ રસ્તાના સાઈડમાં પડેલ છે. ચાર ગાય પૈકી 1 ગાયના વાછરડા નું મૃત્યું થયું હતું અને માર્ગ પર લોહી જૉવા મળ્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 733

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *