Breaking NewsLatest

ચીખલા પાસે અકસ્માત,4 ગાય ના મોત 3 ઘાયલ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત રાજસ્થાન ની સરહદ પર આવેલુ છે. તાજેતરમાં શરદ પૂર્ણિમાનો મહોત્સવ સુખરૂપ સંપન્ન થયો છે ક્યારે ગુરુવારે સવારે અંબાજી થી ખેડબ્રહ્મા માર્ગ પર ચીખલા ગામ પાસે ટ્રક ચાલકે અકસ્માત સર્જતા 4 ગાયોના મોત થયા હતા 2 ગાય ખુબજ ગંભીર અને 1 ગાય ઘાયલ થઈ હતી.


સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે અંદાજે 9:30 કલાકે અંબાજી થી ખેડબ્રહ્મા તરફ ટ્રક જઈ રહ્યો હતો ચીખલા ગામ થી આગળ હનુમાનજી મંદિર પાસે ટ્રક ચાલકે કાબુ ગુમાવતા પર રોડ જઈ રહેલી 7 ગાયોને અડફેટમાં લીધી હતી જેમાં ચાર ગાયોનું ઘટના સ્થળે મોત થયું હતું અને બે ગાય ખૂબ જ ગંભીર હાલતમાં છે અને એક ગાય ઘાયલ થઈ હતી. ઘટનાની જાણકારી મળતા શ્રી ગૌરી ગૌશાળા સેવા કેન્દ્ર કુંભારિયા અંબાજી ના સભ્યો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગાય ની સારવાર હાથ ધરી હતી અને ટ્રક ચાલકને હોસ્પીટલ ખસેડવામા આવ્યા હતા. ટ્રક હાલ રસ્તાના સાઈડમાં પડેલ છે. ચાર ગાય પૈકી 1 ગાયના વાછરડા નું મૃત્યું થયું હતું અને માર્ગ પર લોહી જૉવા મળ્યું હતું.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 694

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *