Breaking NewsLatest

જામનગરના નિવૃત એ.એસ.આઈ યુનુસભાઈ સમાંએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ ધારણ કર્યો કેસરીયો.

જામનગર: ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીની વિકાસ યાત્રા થી પ્રેરિત થઇ ગુજરાત પોલીસમાં સેવા આપી ચૂકેલ અને હાલમાં જ વયનિવૃત થયેલ એ.એસ.આઈ યુનુસભાઈ સમાં ભારતીય જનતા પાર્ટી માં જોડાયા. આ તબક્કે શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણીની ઉપસ્થિતિમાં નિવૃત એ.એસ.આઈ યુનુસભાઈ સમાંએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરેલ.


આ તબક્કે શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ગુજરાત રાજય કૃષિમંત્રી આર.સી.ફળદુ, રાજયમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મહામંત્રી પ્રકાશભાઈ બામણિયા, વિજયસિંહ જેઠવા, મેરામનભાઈ ભાટુ, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતન ગોશરાણી સહિત શહેર સંગઠનના હોદેદારો, પદાધિકારીઓ, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓએ તેમને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 733

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *