Breaking NewsLatest

જામનગરમાં પીએસઆઇની બદલીનો ગંજીફો ચીપાયો. 10 પીએસઆઇની આંતરિક ફેરબદલીઓ કરવામાં આવી

જામનગર જિલ્લા પોલીસ તંત્રમાં ફેરબદલીઓનો દોર યથાવત રહ્યો છે. હજુ થોડા સમય પહેલા જ પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની સામૂહિક બદલીઓ કરવામા: આવ્યા બાદ આજે જિલ્લાના 10 પોલીસ સબ ઇન્સ્પેકટરોની આંતરિક ફેરબદલી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન દ્વારા કરવામાં આવેલા આદેશ અનુસાર હાલ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ કે.આર. સિસોદિયાને મેધપર પોલીસ સ્ટેશનમાં બદલવામાં આવ્યા છે. જ્યારે મેધપરમાં ફરજ બજાવતા ડી.એસ.વાઢેરને લાલપુર પોલીસ સ્ટેશનમાં બી.એસ.વાળાની જગ્યાએ મુકવામાં આવ્યા છે. જ્યારે વાળાને પંચ એ પોલીસ સ્ટેશનમાં નિમણૂક આપવામાં આવી છે. ધ્રોલ પોલીસ સ્ટેશનના સી.એમ.કાંટેલિયા પંચ બી મા મુકવામાં આવ્યા છે. ઉદ્યોગનગર ચોકીના એમ.એન.જાડેજાને ધ્રોલ પંચ બીના જે.ડી.પરમારને સિક્કા જામજોધપુરના કે.વી.ઝાલાને શેઠવડાળા જ્યારે શેઠવડાળાના એ.ડી.વાળાને જામનગરમાં ટ્રાફિક શાખામાં મુકવામાં આવ્યા છે. પંચ એ પોલીસ સ્ટેશનના ડી.પી.ચૂડાસમાને ઉદ્યોગનગર ચોકી જ્યારે જામનગર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા વૈશાલી એ.આહિરને જામજોધપુરમાં સેક્ધડ પીએસઆઇ તરીકે નિમણૂક આપવામાં આવી છે.

જ્યારથી જામનગરના પોલીસ અધિક્ષક તરીકે દિપેન ભદ્રનની નિમણૂક કરવામાં આવી છે. ત્યારથી જિલ્લા પોલીસ તંત્રમાં મોટાપાયે ફેરબદલીઓ કરવામાં આવી રહી છે. આવતાની સાથે જ જિલ્લામાં બે નવા પીઆઇની નિમણૂક કરવામાં આવી હતી. જેમને મહત્વની પોસ્ટીંગ આપવામાં આવ્યા બાદ કોન્સ્ટેબલની બદલીઓનો ઘાણવો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે પીએસઆઇની બદલીનો ગંજીફો ચીપવામાં આવ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *