જામનગર: જામનગર શહેરમાં ઉભરાતા પાણી કે વરસાદી પાણી હોય કે ગંદા પાણીના નિકાલ માટે સતત તત્પર રહેતા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખાના અધિકારીઓ અને કર્મીઓ બેખૂબી રીતે પોતાનું કાર્ય નિભાવતા આવ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખા 24 કલાક ખડેપગે જોવા મળે છે. જેએમસીના આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિનેશભાઇ સાગઠિયા, (કોન્ટ્રાક્ટર), વર્ક આસિસ્ટન્ટ દીશાંગ પરમાર, ડેપ્યુટી એન્જીનીયર અમિત કણસાગરા અને જયેશ કાનાની તેમજ જુનિયર એન્જીનીયર હર્ષલ રાવેશિયા અને તમામ ટીમના કર્મીઓ ખડેપગે પાણી ભરાઈ જવાના કે ઉભરાઈ જવાના પ્રશ્નોના નિકાલ માટે વિવિધ મશીનારીઓ સાથે તે કાર્યને પૂરું કરી પાર પડતા આવ્યા છે. વરસાદી વાતાવરણમાં પણ તેમજ કોરોનાની મહમારીમાં પણ તેઓની સેવા આપવા બદલ આકાંશા ફાઉન્ડેશનના શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ તેમજ પત્રકાર આશાબેન ભીલ દ્વારા આ શાખાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી.

















