Breaking NewsLatest

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ડ્રેનેજ વિભાગના અધિકારી-કર્મીઓની પ્રસંશનીય કામગીરીને જોતા કરાયું સન્માન

જામનગર: જામનગર શહેરમાં ઉભરાતા પાણી કે વરસાદી પાણી હોય કે ગંદા પાણીના નિકાલ માટે સતત તત્પર રહેતા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખાના અધિકારીઓ અને કર્મીઓ બેખૂબી રીતે પોતાનું કાર્ય નિભાવતા આવ્યા છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ શાખા 24 કલાક ખડેપગે જોવા મળે છે. જેએમસીના આ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દિનેશભાઇ સાગઠિયા, (કોન્ટ્રાક્ટર), વર્ક આસિસ્ટન્ટ દીશાંગ પરમાર, ડેપ્યુટી એન્જીનીયર અમિત કણસાગરા અને જયેશ કાનાની તેમજ જુનિયર એન્જીનીયર હર્ષલ રાવેશિયા અને તમામ ટીમના કર્મીઓ ખડેપગે પાણી ભરાઈ જવાના કે ઉભરાઈ જવાના પ્રશ્નોના નિકાલ માટે વિવિધ મશીનારીઓ સાથે તે કાર્યને પૂરું કરી પાર પડતા આવ્યા છે. વરસાદી વાતાવરણમાં પણ તેમજ કોરોનાની મહમારીમાં પણ તેઓની સેવા આપવા બદલ આકાંશા ફાઉન્ડેશનના શ્રીમતી નીલમબેન શ્રીવાસ્તવ તેમજ પત્રકાર આશાબેન ભીલ દ્વારા આ શાખાને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની કામગીરીને બિરદાવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *