Breaking NewsLatest

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા ચા નાસ્તાની 4 દુકાનો કરી સીલ..

જામનગર: શહેરમાં કોરોના નું સંક્રમણ વધતું રહ્યું હોવાથી તેને કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા પગલાં ભરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં વધુ પડતી ભીડ થતી હોય એવી ચા-નાસ્તાની ચાર દુકાનોને સીલ કરવાનો આદેશ અપાયો છે.
જામનગરના હવાઈ ચોક ખંભાળિયા ગેટ નજીકના વિસ્તારમાં આવેલી બજરંગ હોટલ કે જ્યાં કોઈપણ પ્રકારનો સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી, અને લોકોના ટોળેટોળા એકત્ર થયેલા જોવા મળે છે. ઉપરાંત અનેક લોકો માસ્ક વગર ઊભેલા જોવા મળે છે. જેથી ખુદ મ્યુનિ.કમિશનર સતીશ પટેલ સ્થળ પર પહોંચ્યા હતા અને બજરંગ હોટલ ને શીલ કરવાનો આદેશ આપ્યો છે. તે જ રીતે ઉપરોક્ત વિસ્તારમાં જ આવેલી ગણેશ ભજીયા હાઉસ, સાંઈ પાન કોર્નર અને કિરીટ હોટલ વગેરેને પણ સીલ કરી દેવાનો આદેશ આપ્યો છે.

સંજીવ રાજપૂત

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 747

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *