Breaking NewsLatest

જી. જી. હોસ્પિટલને મંત્રી આર.સી. ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા દ્વારા રૂ. 73 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી

જામનગર: – હાલ ચાલી રહેલી કોવિડ મહામારીમાં સમગ્ર રાજ્યમાં લોકોએ સરકારી હોસ્પિટલોની સારવાર પર વિશેષ ભરોસો મૂક્યો છે અને દરેક જિલ્લાઓમાં વધુમાં વધુ લોકો સરકારી હોસ્પિટલોની સેવાનો લાભ લઇ કોરોના સામેનો જંગ જીતી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ જી. જી. સરકારી હોસ્પિટલ ખાતે અનેક દર્દીઓ કોવિડની સારવાર મેળવી સ્વસ્થ થયા છે. જે આરોગ્યલક્ષી સેવા પ્રવૃત્તિ આજદિન પર્યંત કાર્યરત છે.

ત્યારે જી.જી. હોસ્પિટલની સુવિધામાં વિશેષ ઉમેરો થાય અને મેડિકલ સાધનોના અભાવે લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના મંત્રીશ્રીઓ શ્રી આર.સી.ફળદુ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કોવિડ અંગેની રૂ. ૭૩ લાખની અલાયદી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.

જેમાં રાજ્ય સરકારના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા સંયુક્ત પણે જિલ્લા કલેક્ટર શ્રી રવિશંકરને વર્ષ ૨૦૨૧- ૨૨ની ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્રોડકશન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. ૫૪ લાખ તથા હોસ્પિટલ ખાતે સંપૂર્ણ સાધન સુવિધાથી સજ્જ અત્યાધુનિક એમ્બ્યુલન્સ ખરીદવા માટે રૂપિયા ૧૯ લાખ એમ મળી કુલ રૂ. ૭૩ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ ગ્રાન્ટની ફાળવણી થતાં જી. જી.હોસ્પિટલની ઓક્સિજન લક્ષી તેમજ એમ્બુલન્સ અંગેની સુવિધામાં વિશેષ ઉમેરો થશે અને લોકોને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ પ્રાપ્ત થશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *