Breaking NewsLatest

ટૂંક સમયમાં ટેટ વિદ્યાસહાયકની જાહેરાત ન આવે તો ટેટ પાસ ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે

ગુજરાતમાં ટેટ પાસ કરેલા ઉમેદવારો 3 વર્ષથી બેરોજગારીનો સામનો કરે છે.સરકાર દ્વારા 2 વખત વિદ્યાસહાયકની જાહેરાત છતાં ભરતી કરવામાં આવી નથી.આ ઉમેદવારો દ્વારા અનેક વખત શિક્ષણમંત્રી તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓને રજુઆત કરી છે.તેમ છતાં જાહેરાત આપવામાં નથી આવતી.
વિભાગ દ્વારા સતત વાયદાઓ જ આપવામાં આવ્યા છે અને હવે ફરીવાર વેલીડિટીના નિવારણ આવે પછી ભરતી કરીશું એવું કહેવામાં આવ્યું છે પણ વેલીડિટીનો નિણર્ય કરવામાં આવતો નથી જેથી આ ટેટ પાસ બેરોજગારોમા ધીરજ ખૂટી ગઈ છે ત્યારે આ ઉમેદવારો હવે નક્કી કર્યું કે આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ન આવે તો ઉમેદવારોએ મેળવેલા શિક્ષણનો ઉપયોગ જાગૃતિ લાવવા માટે કરશે અને આ માટે આ ઉમેદવારો સ્વૈચ્છિક આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.
ટેટ-૨ પ્રતિનિધિ હરદેવ વાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 726

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *