Breaking NewsLatest

તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અમિત પટેલ અંબાજી

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી ખાતે મા અંબેના યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ-૨(બીજ) ને સોમવાર તારીખ.૧૨/૭/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે રહેશે. જેમાં સવારે આરતી-૭.૩૦ થી ૮.૦૦, દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦, મંદિર મંગળ- ૧૧.૩૦ થી ૧૨.૦૦, રાજભોગ બપોરે- ૧૨.૦૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૩૦, મંદિર મંગળ- ૧૬.૩૦ થી ૧૯.૦૦, આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦, દર્શન સાંજે-૧૯.૩૦ થી ૨૧.૦૦ કલાક સુધી કરી શકાશે. તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *