Breaking NewsLatest

તા. ૧૨ જુલાઈથી અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ફેરફાર

અમિત પટેલ અંબાજી

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી મંદિરમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી ખાતે મા અંબેના યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ-૨(બીજ) ને સોમવાર તારીખ.૧૨/૭/૨૦૨૧ થી આરતી તથા દર્શનનો સમય આ પ્રમાણે રહેશે. જેમાં સવારે આરતી-૭.૩૦ થી ૮.૦૦, દર્શન સવારે- ૮.૦૦ થી ૧૧.૩૦, મંદિર મંગળ- ૧૧.૩૦ થી ૧૨.૦૦, રાજભોગ બપોરે- ૧૨.૦૦ થી ૧૨.૩૦, દર્શન બપોરે- ૧૨.૩૦ થી ૧૬.૩૦, મંદિર મંગળ- ૧૬.૩૦ થી ૧૯.૦૦, આરતી સાંજે- ૧૯.૦૦ થી ૧૯.૩૦, દર્શન સાંજે-૧૯.૩૦ થી ૨૧.૦૦ કલાક સુધી કરી શકાશે. તેમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ. જે. ચાવડાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *