Breaking NewsLatest

દઘાલીયા ગામે પીવાના પાણી માટે વલખાં,વહીવટીતંત્ર ને શરમાવે એવી સ્થિતિનું નિર્માણ.

અરવલ્લી જીલ્લામાં નળ કનેક્શન હેઠળ સવા લાખ જેટલા ઘરોમાં નળ કનેક્શન સાથે જોડ્યા હોય અને આ યોજના હેઠળ 43 હજાર કામો પ્રગતિમાં હોવાના તંત્ર ના દાવા વચ્ચે મોડાસા તાલુકાના દઘાલીયાના દરેકના ઘરે નળ હયાત હોવા છતાં પાણીની એક એક બુંદ માટે ગ્રામજનો તરસી રહ્યા,ગ્રામ પંચાયતના અણધર વહિવટના કારણે 15 દિવસે પણ પાણી ન મળતા લોકો તોબા પોકારી ઉઠ્યા છે.અધિકારીઓએ પાણી ની સમશ્યા ને લઈ ગામમાં વિઝીટ પણ કરી ચુક્યા છે પરંતુ ગંભીરતા ન દાખવતા આજે ગ્રામજનો હિજરત કરવા મજબુર બને તો નવાઈ નહિ,તંત્ર દ્વારા નલ સે જલ તકની સુવિધા કરાઈ હોવા છતાં લાભ ન મળતા લોકો રોષ ઠાલવી રહ્યા છે.ગામમાં ત્રણ જેટલા હેન્ડપમ્પ કાર્યરત છે.પાણી લાવવું તો ક્યાંથી લાવવું સવાલ લોકોને સતાવી રહ્યો છે.ત્યારે સંબધિત અધિકારીઓ ગામમાં સર્જાયેલી પાણીની સમશ્યાનો તત્કાલ ઉકેલ લાવવા ગ્રામજનોની માંગ ઉઠી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *