Breaking NewsLatest

ધનસુરા તાલુકા માં 12 થી 14 વર્ષ ના બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભારત સરકાર ની માર્ગદર્શીકા મૂજબ રાજ્યભર માં 12 થી 14 વર્ષ ના બાળકો નું કોવિડ-19 નું રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા માં પણ વિવિધ જગ્યાએ 12 થી 14 વર્ષ ની વય જૂથના બાળકો ને કોવિડ-19 નું રસીકરણ કરવામાં આવ્યું હતું.જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.આ માટે હાઈસ્કૂલ, પ્રાથમિક શાળાઓ સહિત વિવિધ જગ્યાએ આરોગ્યતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.ધનસુરા ની પ્રાથમિક શાળા નંબર ૧,જે.એસ. મહેતા હાઈસ્કૂલ સહિત વિવિધ જગ્યાએ રસીકરણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળા નંબર ૧ ખાતે ધનસુરા ના સરપંચ હેમલત્તાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.બાળકો ને પ્રથમ ડોઝ આપ્યા બાદ હવે ૨૮ દિવસ પછી બીજો ડોઝ આપવામાં આવશે.અગાઉ 15 થી 18 વર્ષ ના બાળકો ને પણ રસી અપાઈ ચૂકી છે એવામાં હવે 12 થી 14 વર્ષ ના બાળકો નું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન હેઠળ ધનસુરા માં વિવિધ જગ્યાએ રસીકરણ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્સાહ પૂર્વક બાળકોએ ભાગ લીધો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *