Latest

ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આગ લાગે તો શું કરવું તેના ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યા હતા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા નવોદય વિદ્યાલય ખાતે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવેલ જેમાં આગ લાગે ત્યારે શું કરવું ભૂકંપ આવે ત્યારે શું કરવું તેનું ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર શ્રી જીગર મકવાણા ડીસ્ટ્રીક ફાયર ઓફિસ તરફથી શ્રી નિકુંજ પટેલ અને ઈરફાન પટેલ હાજર રહ્યા હતા જેમણે બાળકોને સરસ રીતે માર્ગદર્શન આપીને કોઈપણ પ્રકારનો ડિઝાસ્ટર થાય આગ લાગે ભૂકંપ થાય ત્યારે શું કરવું તેનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના એન.સી.સીના વિદ્યાર્થી સ્કાઉટ ના વિદ્યાર્થી અને બધા જ બાળકોએ માર્ગદર્શન લીધું હતું આ કાર્યક્રમમાં શાળા તરફથી આચાર્ય પ્રવીણ ક્રિષ્નન જાની સાહેબ પૃથ્વીરાજ મીણા અંજલી મેડમ અને અનુ હુડા મેડમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી બાળકોએ પણ ફાયર ફાઈટર દ્વારા આગ કેમ બંધ કરવી એ નું ડેમોસ્ટ્રેશન કર્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *