Latest

નાના ખુંટવઙા તેમજ પીથલપર ગામ ની દિકરીઓ CRPF ની ટ્રેનિંગ પુર્ણ કરી માદરે વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ

આજ રોજ મહુવા તાલુકા ના નાના ખુંટવઙા તેમજ ઘોઘા તાલુકા નું પીથલપુર ગામની દિકરીઓ…હિરલબેન.પી.મકવાણા(નાના-ખુંટવઙા) તેમજ નીતાબેન.જી.ચૌહાણ આજ રોજ નવ માસ ની ટ્રેનિંગ (અજમેર.રાજસ્થાન) પુર્ણ કરી માદરે વતન પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમા માતાજી ના મઢે તેમજ ઠાકર મંદિર તેમજ રામજી મંદિર તેમજ મહાદેવ નાં મંદિર તેમજ રામદેવપીર ના મંદિરે દર્શન કરી પગે લાગી આશીર્વાદ લઈ સમસ્ત ગામ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં નવ મહિના ની ટ્રેનિંગ પુર્ણ કરી પરત ફરતા માતા.પીતા તેમજ ભાઇ.બેન ભાવુક બન્યા હતા ત્યારે નાના ખુંટવઙા થી જાંબુઙા વાઙી વિસ્તાર સુધી શોભાયાત્રા નીકળી હતી જેમા ગામ ના તમામ લોકો શોભાયાત્રા જોઙાયા હતા ને દેશ ભક્તિ ના ગીતો સાથે રંગ માં રગાયા હતા જ્યારે વધુ માં બન્ને બહેનો એ જણાવેલ કે નાનપણ થી આર્મી માં જવાનો શોખ તેમજ દેશ ની સેવા કરવા નું ઝનૂન ચઙેલ હોય જે આજ સપનુ સાકર થયુ તેમજ અન્ય બહેનો ને પણ વધારે માં વધારે આગળ આવે ને પોતાના પગ ભર થવા હાકલ કરી હતી ત્યારે નાના ખુંટવઙા ગામ ની પ્રથમ દિકરી CRPF માં આવેલ છે

અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

અત્યંત જટીલ સર્વાઇકલ સ્પાઇન સર્જરી સફળતાપૂર્ણ પૂર્ણ કરી દર્દીને નવજીવન બક્ષતા સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી

વિસનગર, સંજીવ રાજપૂત: અડેરણ તા. દાંતા ના વતની 60 વર્ષીય પ્રવીણભાઈ બાબુલાલ મોદીને…

1 of 557

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *