Breaking NewsLatest

પત્રકારની બીજા પત્રકારના સાગા માટે મદદની અપીલ ફળદાયી નીવડી કોરોના કાળમાં પત્રકારના સગાને મદદની વહારે આવ્યા અમદાવાદ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકી.

અમદાવાદ: હાલ કોરોનાનો કપરો સમય ચાલી રહ્યો છે અને આવા સમયમાં બેડ, ICU સુવિધા, ઓક્સિજન મેળવવા માટે લોકો વલખા મારી રહ્યા હોય છે ત્યારે દરેક વ્યક્તિ પોતાની રીતે કાઈ મદદ કરી શકે તે હેતુથી મદદ કરવાના પ્રયાસો કરે છે. નેતાઓ પોતાના કામમાં વ્યસ્ત રહેતા હોય અને મદદ નથી કરતા તે વાત અહીં ખોટી સાબિત થતી જોવા મળી છે. માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલ મેસેજ ને ગંભીર રીતે ધ્યાનમાં લેતા હિંમતનગરના એક દર્દીને અમદાવાદના માનનીય સાંસદ તેમજ લોકસભાના પેનલ સ્પીકર ડોકટર કિરીટભાઈ સોલંકી દ્વારા પૂરતી મદદ પહોંચાડવાનું સેવાકીય કાર્ય કરવામાં આવ્યું તે ખરેખર પ્રશ્સનીય કહી શકાય.

વાત કરીએ તો એક ન્યૂઝ એજનસીના પ્રતિનિધિ/ચેરમેનને તેમના વોટ્સ ગ્રૂપમાં મળેલ મેસેજ મુજબ સાબરકાંઠાના હિંમતનગરના એક પત્રકારના સગા નામ અશ્વિન ચૌહાણ ઉંમર વર્ષ 30 અન્ય હોસ્પિટલમાં દાખલ હતા પરંતુ તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે બાય પેપ મશીનની જરૂર હતી અને આ બાબતે મદદનો મેસેજ સોશિયલ ગ્રૂપમાં ફરતો થતા તેને ન્યૂઝ એજનસી દ્વારા મેસેજને ગંભીરતાથી લેતા તેમણે આ મેસેજ સાંસદ શ્રીને મોકલતા અમદાવાદના સાંસદ દ્વારા વાંચણે લેતા તેઓ દર્દીની મદદની વહારે આવ્યા હતા અને તેમના દ્વારા આ બાબતે સાબરકાંઠા કલેક્ટરને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જેને કલેક્ટર શ્રી દ્વારા ગંભીરતાથી લેતા તેમને આ સારવાર તાત્કાલિક મળી જતા એક દર્દીનો જીવ બચ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દર્દીના સગાઓ દ્વારા નિષવાર્થ અને સેવાકીય કાર્ય બદલ તેમને સાંસદ અને કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો..

સાંસદ શ્રી ડો કિરીટભાઈ સોલંકી દ્વારા નાનામાં નાની બાબતોને પણ ધ્યાનમાં લઈ કોઈ પણ સ્વાર્થ વગર સેવા જ પ્રભુતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે જેના માટે કોઈ શબ્દ ન મળી શકે.. જે ખરેખર ધન્ય કહેવાય..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *