Latest

પાલનપુર ખાતે રિયલ એસ્ટેટના 450થી વધુ કામદારોનું વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું

પાલનપુર: ફિનોલિક્સ પાઇપ(FIL) અને સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફોઉન્ડેશન (MMF) એ આજ રોજ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની(GMTC), પાલનપુર દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પ પ્લમ્બર તથા રીયલ એસ્ટેટના કામદારો માટે યોજવામાં આવ્યો તેમાં સહભાગી બન્યા.

COVID-19 નો સમય હોય કે જરૂરિયાત મંદ લોકોને સહાય કરવાની હોય ગુજરાત મલ્ટી ટ્રેડ કંપની હંમેશા સમાજ સેવા કરતુ આવ્યું છે. અને તેવા જ ઉદ્દેશ થી આજ રોજ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર, ફિનોલિક્સ પાઇપ અને તેના સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન સાથે મળીને 460 થી વધુ પ્લમ્બર્સ તથા રીયલ એસ્ટેટ ના કામદારો માટે આરોગ્ય ચેકઅપ શિબીર રાખી હતી જેમાં આંખ, દાત, કાન, ગળા, બ્લડ ચેકઅપ, ECG અને જનરલ તપાસ કરવામાં આવી.

વધુ માં આગળ ગુજરાત મલ્ટી ટ્રેડ કંપનીના CEO શ્રી નરેન્દ્રભાઈ ખોલવાડીયા દ્વારા જાણવામાં આવ્યું કે અમે ફક્ત તપાસ કરવામાં નહિ પરંતુ તપાસ દરમિયાન જે તે દર્દીઓને તકલીફ હસે તેમને દાંત, આંખ અને બીજી જરૂરી સારવાર પણ ફ્રી કરી આપવામ આવશે.

તો બીજી તરફ ફિનોલિક્સ કંપની ના વેસ્ટ ઝોને સેલ્સ હેડ, શ્રી ચિરાગ પાઘધારે વધુ માહિતી આપતા જાણાવીયુ કે ફિનોલિક્સ પાઇપ અને તેના સી એસ આર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશન આજ ના આરોગ્ય તપાસમાં આંખના નિદાન બાદ મોતિયાનું ઓપેરશન તથા નંબરના ચશ્માં અને બીજી તરફ દાત ની તપાસ તેને લગતી સારવાર માટે દર્દીને જરૂરી સહાય કરવામાં આવશે.

સાથે સાથે આરોગ્યની જાળવણી, પર્યાવરણની જાળવણી, મહિલા સશક્તિકરણ, જળ સંરક્ષણ, શિક્ષણ અને સામાજિક સુખાકારી માટે વિશેષ માહિતી આપવામાં આવી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *