Breaking NewsLatest

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ માતાજીના ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

અમિત પટેલ.અંબાજી

કરોડો શ્રદ્ધાળુઓની પરમ શ્રધ્ધા તેમજ શક્તિ, ભક્તિ અને આસ્થાના પરમ કેન્દ્ર સમાન પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે સ્વર્ણિમ ગુજરાત-૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી આઇ.કે.જાડેજાએ સાંજની આરતીમાં ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી મા જગદંબાના આશિર્વાદ મેળવ્યાં હતાં.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આજે માં અંબેના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે મા અંબેને પ્રાથના કરી છે કે, દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે જ નહીં. તેમજ દેશના તમામ લોકોનું જીવન નિરોગી અને તંદુરસ્ત રહે તથા લોકોના ઘરમાં સુખ-સમૃધ્ધિ પથરાય. તેમણે જણાવ્યું કે, આપણી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિકાસના અનેક કાર્યો થકી દેશ અને રાજ્ય સતત પ્રગતિના સોપાનો સર કરી રહ્યું છે.તેમણે કહ્યું કે, આવતી કાલે આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ગુજરાતને વિકાસના નવા પ્રકલ્પોની અને નવનીતમ યોજનાની ભેટ આપવા છે જેનાથી રાજ્યની વિકાસયાત્રાને નવી ગતિ મળશે.
આ પ્રસંગે અંબાજી દેસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડા અને માઈભક્તો ઊપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *