Breaking NewsLatest

બનાસકાંઠાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે અંબાજીના ચાચરચોક માથી દર્શન કર્યા

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ છે. અંબાજી મંદિર 51 શક્તિપીઠ મા અનેરૂ મહત્વ ધરાવે છે. અંબાજી ખાતે દેશભરમાંથી માતાજીના ભક્તો દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આજે અંબાજી મંદિર ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના અન્ન પુરવઠામંત્રી ગજેન્દ્રસિંહ પરમાર માતાજીના દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર 4:15 બાદ બંદ હોઇ મંત્રીશ્રીએ ચાચરચોક માથી માતાજીના દર્શન કર્યા હતા.

આજે બપોર બાદ ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર કે જેઓ બનાસકાંઠાના પ્રભારીમંત્રી છે તેઓ અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવ્યા હતા પરંતુ મંદિર 4:15 બાદ બંદ હોઇ મંત્રીશ્રીએ ચાચરચોકમાથી ઊભા રહીને માતાજીના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. અંબાજી બીજેપી યુવા મોરચાના પ્રમુખ દિનેશ પૂજારી પણ સાથે જોડાયા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 708

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *