Breaking NewsLatest

બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ધુળેટી પર્વ નિમિત્તે ઢોલ નગારાના તાલે ઝૂમ્યા….

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

માલપુર તાલુકાના અણીયોર ખાતે બાર ગામના ક્ષત્રિય સમાજના ૧૫૦૦૦ થી વધુ લોકો એક સ્થળે એકઠા થઈ રંગોના તહેવાર ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરે છે, તેઓ પરંપરાગત રીતે તહેવારને અનુરૂપ વેશભૂષા ધારણ કરી, હાથમાં લઠ – તલવારો લઇ ઢોલ નગારાના તાલે ઝૂમી આનંદ ઉલ્લાસથી ધુળેટી પર્વની ઉજવણી કરે છે….

આજરોજ ધુળેટી પર્વ નિમિત્તે ક્ષત્રિય સમાજના લોકપ્રિય એવા બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલા અણીયોર ખાતે બાર ગામ દ્વારા પરંપરાગત રીતે ઉજવવામાં આવતી ધુળેટી પર્વ નિમિત્તે ઉપસ્થિત રહી ઢોલ નગારા તાલે પોતાના મતવિસ્તારના લોકો સાથે ઝૂમ્યા હતા. મતવિસ્તારના લોકપ્રિય નેતા બાર ગામની ૧૫૦૦૦ થી પણ વધુ જનમેદની વચ્ચે ધુળેટી પર્વની ઉજવણી કરવા આવતાં લોકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને પોતાના લોકપ્રિય નેતાને ખભે ઉંચકી લઈ ખુબ ઝૂમ્યા હતા….

ઉલ્લેખનીય છે કે, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અણીયોર વિસ્તારના બાર ગામના ૧૫૦૦૦ થી વધુ ક્ષત્રિય સમાજની મહિલાઓ બાળકો સહિત લોકો એકઠા થઇ તહેવારને અનુરૂપ વેશભૂષા ધારણ કરી, લઠ – તલવારો સાથે ઢોલ નગારાના તાલે ઝૂમી હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરે છે, કોઈ એક સમાજના લોકો આટલી મોટી સંખ્યામાં એકઠા થઇ ધુળેટી પર્વની ઉજવણી કરતા હોય તેવું ભાગ્યેજ જોવા મળતું હશે….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *