Latest

“ભદ્રેશભાઇ માટે મત્સ્યપાલને આર્થિક સધ્ધરતાના દ્રાર ખોલ્યા”

“મત્સ્યોધોગ થકી ભદ્રેશભાઇ અને તેમની મંડળીના સભ્યો મહિને ૨૫ હજારથી વધુની કમાણી કરતા થયા છે”

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભદ્રેશભાઇ સુર્યકાંત કહારને મોટા- કોટડા સિંચાઇ તળાવ ઉપર મત્સ્યપાલનનો ઇજારો મળતા ભદ્રેશભાઇ અને તેમની મંડળીને રોજગારી મળતી થઇ છે.રાજ્ય સરકાર તરફથી મત્સ્યપાલન ઉધોગ સાથે સંકળાયેલા લોકોને પધ્ધતિસરની તાલીમ આપી વધુ સારી રીતે રોજગારી મેળવી શકે તે માટે વિવિધ યોજનાઓ અને સાધન સહાય પૂરી પાડવામાં આવે છે.

ભદ્રેશભાઇ જણાવે છે કે હું પહેલા છૂટક માછલીઓનો વ્યપાર કરતો હતો.મારી માછલી વેચવાની દુકાન પણ છે. પહેલા બહારથી માછાલીઓ લાવીને વ્યપાર કરવો ખુબ ખર્ચાળ હતો. એ સમયે હું સીઝનમાં મહિને રૂ.૧૦ થી ૧૨ હજાર કમાણી કરતો હતો. મત્સ્યોદ્યોગ વિભાગ હિંમતનગર દ્રારા મને અને મારી મંડળીને મોટા- કોટડા સિંચાઇ તળાવ ઉપર ઇજારો આપવામાં આવ્યો છે.આ સાથે મત્સ્ય પાલન માટે સરકાર તરફથી કટલા, રહુ, મિરગલ જેવી સારી ક્વોલીટીના મત્સ્ય બીજ આપવામાં આવ્યા છે. આ બીજ લગભગ દોઢ વર્ષમાં તૈયાર થાય છે. જેમાં એક માછલીનું વજન ૫૦૦ થી ૭૦૦ ગ્રામ જેટલુ થાય છે.

હું સીઝનમાં મહિને રૂ. ૨૫ થી ૩૦ હજારની કમાણી કરી લઉ છું. મત્સ્ય ઉદ્યોગ, હિંમતનગર થકી મોટા- કોટડા સિંચાઇ તળાવ ઉપર ઇજારો મળતા હવે અમારી મંડળમાં અમે ૧૫ થી ૨૦ જેટલા સભાસદો છીએ જે સીઝનમાં સારી એવી કમાણી કરી રોજગારી મેળવતા થયા છીએ. જેથી કરીને અમારૂ જીવન ધોરણ સુધર્યું છે.
ભદ્રેશભાઇ કહાર વધુમાં જણાવે છે કે અમારી મંડળીમાં જેડાયેલ ભાઇઓ અને બહેનોને સરકારશ્રી તરફથી દર વર્ષે મત્સ્યપાલન માટે માછલીના બીજની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રી તરફથી પ્લસ્ટિક કેટ, બોટો, જાળો, પેટોલીગ કમ ફીશ કલેક્શન બોટ વગેરે સહાય મળી છે. અમારા મુખ્ય વ્યવસાય ખેતી/મજૂરી સાથે મત્સ્યપાલન પૂરક રોજીનું સાધન બની છે. મત્સ્યપાલન માટે અમને સરકાર તરફથી ખુબ મદદ મળી છે. જેથી અમે રાજ્ય સરકારના આભારી છીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *