Latest

ગોધરા શહેરમાં રક્ષાબંધનનો અનેરો ઉત્સાહ,બજારોમાં વિવિધ પ્રકારની આકર્ષક રાખડીઓ

પંચમહાલ,વિનોદ રાવળ,એબીએનએસ::
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધનના હવે ફક્ત બે દિવસ છે.ત્યારે ગોધરા નગરમાં તેની ઉજવણી માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી પડી છે અને રાખડીઓ, મીઠાઈઓ, અને પૂજા સામગ્રીની દુકાનો પર લોકોની અવરજવરથી તહેવારનો માહોલ જીવંત બન્યો છે.

ગોધરાના મુખ્ય બજારોમાં આવેલી રાખડીની દુકાનો વિવિધ પ્રકારની રંગબેરંગી અને આકર્ષક રાખડીઓથી સજી ગઈ છે. અહીં પરંપરાગત રેશમના દોરાથી બનેલી રાખડીઓ ઉપરાંત, મોતી, સ્ટોન, કુંદન અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાંથી બનેલી ડિઝાઈનર રાખડીઓ પણ ઉપલબ્ધ છે.

બાળકો માટે ખાસ કાર્ટૂન કેરેક્ટર્સ, સુપરહીરો અને નવીન ડિઝાઈનવાળી રાખડીઓ બજારમાં છવાઈ ગઈ છે.જે નાના ભૂલકાંઓને ખૂબ આકર્ષી રહી છે. દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા માટે નવીનતમ ડિઝાઈનો અને ઓફર્સ પણ રજૂ કરી રહ્યા છે.

રક્ષાબંધનનો તહેવાર મીઠાઈ વિના અધૂરો છે તેથી નગરમાં મીઠાઈની દુકાનો પર ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પેંડા, બરફી, ગુલાબજાંબુ, અને લાડુ જેવી પરંપરાગત મીઠાઈઓ ઉપરાંત નવીન ફ્લેવર્સ અને ડિઝાઈનની મીઠાઈઓ પણ ખરીદી રહ્યા છે.

આ ઉપરાંત ભાઈ-બહેનના પ્રેમની ભેટ આપવા માટે ગિફ્ટ આઈટમ્સની પણ ખૂબ માંગ છે. બહેનો તેમના ભાઈઓ માટે અને ભાઈઓ તેમની બહેનો માટે કપડાં, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ, પર્સ, અને જ્વેલરી જેવી વિવિધ ગિફ્ટ આઈટમ્સની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.

નગરમાં ગૃહિણીઓ પણ તહેવારની તૈયારીઓમાં સંપૂર્ણપણે વ્યસ્ત છે. તેઓ ઘરની સજાવટ, રક્ષાબંધનની પૂજાની થાળીની તૈયારીઓ, અને પોતાના ભાઈઓ માટે મનપસંદ વાનગીઓ બનાવવામાં લાગી ગઈ છે. ઘરોમાં ખીર, પુરી, અને પકવાન જેવી વાનગીઓની સુગંધ પ્રસરી રહી છે.
જે તહેવારના આગમનની પ્રતીતિ કરાવી રહી છે. શહેરમાં રક્ષાબંધનના પર્વને એકંદરે ખુશીનો અને ઉજવણીનો માહોલ છવાયો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *