Breaking NewsLatest

ભાજપ સરકારના 5 વર્ષ: 4 ઓગસ્ટ, નારી ગૌરવ દિવસ. અમદાવાદ જિલ્લાના વિવિધ સ્થળોએ નારી ગૌરવ દિવસ સંદર્ભે કાર્યક્રમ યોજાશે

ગાંધીનગર: રાજયના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વના ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થાય છે. જે નિમિત્તે તા. 04 ઓગસ્ટના દિવસે “ નારી ગૌરવ દિન ” સંદર્ભે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. આ દિન નિમિત્તે અમદાવાદ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વિવિધ સ્થળો ખાતે નારી ગૌરવ દિવસના કાર્યક્રમો યોજાશે.

અમદાવાદ શહેરમાં પાલડી ખાતેના ટાઉનહોલમાં યોજાનાર આ કાર્યક્રમમાં વન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિવિધ મહિલા જૂથોને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગતના લાભોથી લાભાન્વિત કરવામાં આવશે. આ કાર્યક્રમ બાદ તેઓ નમસ્તે સર્કલ, શાહપુર પાસે નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કરશે.

અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના સીંગરવા ગામે ધારાસભ્યશ્રી બાબુભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. ધોળકા તાલુકામાં સરસ્વતી અનંતકાળ હોલ ખાતે પૂર્વ મંત્રી શ્રી આઇ.કે. જાડેજા અને વેજલપુર ધારાસભ્ય શ્રી કિશોરભાઇ ચૌહાણની ઉપસ્થિતિ રહેશે. અમદાવાદની સાણંદ નગરપાલિકા હોલ ખાતે ધારાસભ્ય શ્રી કનુભાઇ પટેલ નારી ગૌરવ દિવસના કાર્યક્રમમાં જોડાશે.

અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતની સંવેદનશીલ સરકારે નારી કલ્યાણ અને નારી ગૌરવ માટે અનેકવિધ પગલા ભર્યા છે. જેના પરિણામ સ્વરૂપ જ આજે ગુજરાતની મહિલાઓનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.રાજ્યની મહિલાઓને વધું સશક્ત બનાવવાના શુભ આશય થી 4 થી ઓગસ્ટના દિવસે નારી ગૌરવ દિવસ અંતર્ગત કાર્યક્રમ યોજાશે.
……………………………….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *