Breaking NewsLatest

ભારત તિબ્બત સહયોગ મંચના મહેસાણા જિલ્લા મહિલા અધ્યક્ષ સામાજિક અગ્રણી નીતાબેન પંડ્યાએ તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો

મહેસાણા
ભારત તિબ્બત સહયોગ મંચના મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યાએ ખાનગી શાળામાંથી દેલા પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવતાં સમાજિક અને રાજકીય અગ્રણીઓ માટે પ્રેરણારૂપ બન્યા છે.
નીતાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ખાનગી શાળાઓમાં શિક્ષકોની લાયકાત તેમજ તેમને મળતા પગારના અભાવે શિક્ષણ સ્તર કથળતું જાય છે ત્યારે તેની સામે રાજ્યની સરકારી શાળાઓમાં ગુણવત્તાયુ્કત શિક્ષણ મળી રહ્યું છે.વાલીઓમાં પણ ખાનગી શાળાઓમાંથી મોહભંગ થઇ રહ્યો છે.
નીતાબેન પંડ્યાએ ઉમેર્યું હતું કે સરકારી શાળામાં શિક્ષકોની લાયકાતની ઉચ્ચ ગુણવત્તા અને શિક્ષણપ્રમે થકી બાળકોને ઉજજ્વળ ભવિષ્ય આપવાની પ્રબળ ઇચ્છા થકી આજે મહેસાણા જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં સરકારી શિક્ષણનું મહત્વ વધી ગયું છે. જ્યારે બીજી બાજુ ખાનગી શાળાઓમાં વધતી જતી ફી ને પણ સામાન્ય માનવી વહન કરી શકતો નથી
સરકારી પ્રાથમિક શાળામાં હવે માત્ર ગરીબ અને જરૂરીયાતમંદ બાળકો જ નહિ પરંતુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વાલીઓના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે.આ બાળકોને ખાનગી શાળા કરતાં પણ ઉત્તમ શિક્ષણ,વિવિધ સહઅભ્યાસિક પ્રવૃતિઓ સહિત બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો અસમાન્ય વિકાસ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છેકે ભારતીય તિબ્બત સહયોગ મંચ ઇન્દ્રેશ કુમાર અને પંકજ ગોયલના નેતૃત્વમાં તિબ્બતની આઝાદી,કૈલાસ માનસરોવર મુક્તિ,ચીન ઉત્પાદનનો બહિષ્કાર સહિત ભારતની સુરક્ષા માટે કાર્ય કરે છે.

ભારતીય તિબ્બત સહયોગ મંચ મહેસાણા જિલ્લાના મહિલા અધ્યક્ષ નીતાબેન પંડ્યાએ તેમના બંન્ને બાળકો જયદત્ત અને આરૂષીને દેલા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ કરાવી સમાજિક અને રાજકીય અગ્રણીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો જોવા મળ્યો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *