ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.થી ખાનગી વાહનમાં તપાસમાં ગયેલ કર્મચારીઓ દિલ્હીથી પરત નિકળેલ દરમિયાન તા.૧૫/૦૨/૨૨ના રોજ રાજસ્થાનના જયપુર રોડ શાહપુર ખાતે ઉક્ત ખાનગી વાહનનો અકસ્માત થતા તપાસની ટીમના ચાર પોલીસ કર્મચારીઓ તથા એક આરોપી મળી કુલ-૫ વ્યક્તિઓના કરૂણ મોત નિપજેલ હતા. સદરહું તપાસમાં જવા માટે ભાવનગર રેન્જ ઓફીસથી ટ્રેન મારફતે જવા મંજુરી આપવામાં આવેલ હતી. તેમ છતાં PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ચારેય પોલીસ કર્મચારીઓને ટ્રેન મારફતે નહી મોકલી ખાનગી વાહનમાં તપાસમાં જવા રવાના કરેલ હતા તેમજ તપાસની ટીમ સાથે કોઇ અધિકારીને નહી મોકલી ફક્ત અધિકારીની નીચેની કક્ષાના કર્મચારીઓને તપાસમાં રવાના કરેલ હતા. જો PSI શ્રી એમ.એચ.યાદવ દ્વારા ભાવનગર રેન્જ ઓફીસના હુકમનું પાલન કરી તપાસમાં જવા ટીમ રવાના કરેલ હોત તો આ ગંભીર અને ગમખ્વાર બનાવને અવશ્ય નિવારી શકાત અને આવી કોઇ દુ:ખદ ઘટના ન બનવા પામત. પો.સ.ઇ.શ્રી એમ.એચ.યાદવ શિસ્તબધ્ધ પોલીસ દળના એક જવાબદાર અધિકારી હોવા છતાં ઉપરી અધિકારીના હુકમનો અનાદર કરી મનસ્વી રીતે અને વિવેબુધ્ધિનો ઉપયોગ નહી કરી તપાસ ટીમને ખાનગી વાહનમાં મોકલી થાણા અધિકારી તરીકેની પોતાની ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ જેથી તેઓને ફરજ પ્રત્યેની નિષ્કાળજી દાખવવા બદલ શ્રી અશોક કુમાર IPS પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગનાઓ દ્વારા PSI શ્રી એમ.એચ.યાદવને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ(Suspend) કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ભાવનગર જિલ્લાના ભરતનગર પો.સ્ટે.ના PSI શ્રી એમ.એચ.યાદવનાઓને ફરજમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ કરવામાં આવેલ ફરજ મોકૂફ.
Related Posts
દિલ્હી ખાતે ગુજરાત ભવનમાં ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મૂળ ત્રાપજના કીર્તિદેવસિંહ ગોહિલના સંસ્કાર ગ્રુપનો ભવ્ય કાર્યક્રમ
દિલ્હી ખાતે આવેલ ગુજરાત ભવનમાં 1 મે, ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સંસ્કાર ગ્રુપ,…
પાટણ જિલ્લામાં ગૌસન્માન અભિયાન અંતર્ગત સાધુ-સંતોની બેઠક યોજાઈ
દેશભરમાં ચાલી રહેલી આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતના તમામ મામલતદાર કચેરીઓ ખાતે…
અંબાજી જનરલ હોસ્પિટલ અને એસટી ડેપોના સહકાર થી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી અને અંબાજી એસટી ડેપોના સહકાર થી અંબાજી ડેપો ખાતે…
શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ
શામળાજી, તા. ૨૮ એપ્રિલ: પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આવેલ વિશ્વકર્મા મંદિરમાં…
પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજતા જામનગર જિલ્લા કલેક્ટર પી બી પંડ્યા
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને જામનગર…
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ રાધનપુર.…
બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર
અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ-૨૦૨૬
દેવરાજીયા મુકામે ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ સજોડે મતદાન કર્યું…
વીમા કંપની સામે ગ્રાહકની જીત – બનાસકાંઠા ગ્રાહક કમિશનનો મહત્વપૂર્ણ ચુકાદો
ગ્રાહક સલાહ અને સુરક્ષા કેન્દ્ર અંબાજી–દાંતા દ્વારા ન્યાય સાથે લોકજાગૃતિનું મિશન…
ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત કલા પ્રદર્શન તેમજ પ્રથમ સ્મરણાંજલિ એવોર્ડ કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગ્રામ્ય ગુર્જરી કળા ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત લોક કલા…















