Latest

ભાવનગર શહેર ભાજપના હોદ્દેદારોને શહીદ ભગતસિંહના સન્માન કરતા ફોટોસેશનમાં વધુ રસ

સન્માનના બદલે શહીદોની ઠેકડી

પાર્ટી પ્રચાર માટે લાખો રૂપિયાના તાઇફા કરતાં રાજકારણીઓએ નફ્ફટતાની તમામ હદ વટાવી

પાણીના જગ પર ભગતસિંહની તસ્વીરને ગોઠવી ફોટા પડાવ્યા

તાજેતરમાં શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની પુણ્યતિથિ નિમિતે મનાવાતા શહીદ દિવસે દેશમાં ગૌરવભેર શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. આ નિમિત્તે ભાવનગરમાં શહેર ભાજપ દ્વારા આયોજિત થયેલા કાર્યક્રમમાં શહીદોને સન્માન આપવાના બદલે જાણે શહાદતની ઠેકડી ઉડાવાતી હોય એવા આંચકાજનક દ્રશ્યો કેમેરામાં કેદ થયાં હતાં. શહીદ ભગતસિંહને પુષ્પાંજલિ આપવાના કાર્યક્રમમાં સ્થાનિક હોદ્દેદારોને ફોટા પડાવવામાં વધુ રસ હતો. શહીદ વીર જવાન ભગતસિંહની તસ્વીરને યોગ્ય સ્થાન આપવાના બદલે પાણીના જગ પર છાપું પાથરી તેમની તસ્વીર ગોઠવી દેવાઈ હતી. નપાવટ અને બેશરમ રાજકારણીઓએ માત્રને માત્ર પોતાના ફોટા પડાવવા જ આ આયોજન કર્યું હોય એવું જાહેર થયેલા ફોટોમાં સ્પષ્ટ વર્તાઈ આવે છે.

શહીદી કોને કહેવાય એ આવા દંભી નેતાઓને ક્યાંથી ખબર હોય? ક્યારેક કોઈ શહીદના પરિવારને મળવા ગયા હોય તો ખબર પડે કે દેશ માટે ફના થઈ જનાર વીર જવાનનું સન્માન કરીયે એટલું ઓછું છે. જ્યારે અહીં તો સ્વપ્રશસ્તિ અને આત્મસ્લાધા માટે નગુણા નેતાઓ એકઠા થયા હોય અને કોઈ તમાશો કરવાનો હોય એવા ભાવ તમામના ચહેરા પર જોઈને બુદ્ધિજીવીઓ તમામ કહેવાતા નેતાઓ પર થું-થું કરી રહ્યા છે.

અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *