Breaking NewsLatest

માલપુર તાલુકાનાતખતપુર માં ગૌચરમાં થી દબાણો હટાવવા આને કોચ ચાલુ કરી દેવા કલેકટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ને ગ્રામજનો દ્વારા પત્ર..ચોમાસા પહેલા આ પ્રશ્ન હલ કરવા વિનંતી

અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના તખતપુર ગામના પિસ્તાલીસ હેક્ટર ગૌચરની જમીનમાં રમેશભાઈ મગનભાઈ પટેલ નામના ઈસમે બિન‌અધિકૃત પણે ગૌચરપેકીની કેટલીક જમીનમાં રહેણાકનુ મકાન શેડ આને ઘાસચારો નાખવાનો શેડ બનાવી સરકારી જમીનમાં દબાણ કર્યું છે તેમજ ગૌચરની ઉપરની સાઈડમાં તળાવ આવેલું છે અને આ તળાવ ઓવરફલો થાય તો વધારાનું પાણી ગામમાં ના ઘૂસી જાય અને નુકશાન ન થાય તે માટે તળાવથી પાણીના નિકાલ માટે વરસો જૂનો કોચ હતો તેનો પણ નાશ કરી દેવામાં આવ્યો છે.જેના કારણે ચોમાસા દરમિયાન ગ્રામજનો ને ભારૂ હાલાકી પડી રહી છે અને જો આ કોય ચાલુ ના કરવામાં આવે તો આ વખતે ચોમાસામાં તળાવ ઓવરફલો થશે તો ગામને ભારે નુકશાની નો ભય સતાવી રહ્યો છે પશુઓ માટે આ ગૌચરજ માં ત્ર આધાર અને પશુઓના સંખ્યાબળ પ્રમાણે પૂરતું છે ત્યારે લોકોએ અંગત સ્વાર્થ ખાતર દબાણો કરી દેતા ભવિષ્યમાં ગૌચર માત્ર નામ પૂરતૂ જ રહે તો નવાઈ નહીં હોય.આ સંદર્ભે ગ્રામજનો પૈકી કેટલાક લોકોએ ગૌચર બચાવવા અને દબાણો દૂર કરી દેવા કોચ ની પરિસ્થિતિ અગાઉની જેમજ ચાલુ કરી દેવાની માંગણી સાથે નો એક પત્ર રાજ્ય ના મુખ્યમંત્રી તથા જિલ્લા કલેકટર શ્રી જિલ્લા અધિકારી શ્રી અરવલ્લી ને મોકલી આપ્યો છે અને ચોમાસા પહેલા દબાણ દૂર કરી ચોમાસામાં પાણી નો નિકાલ નું કામ કરી આપવા વિનંતી કરી છે..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *