CrimeLatest

માલપુર તાલુકાના જુનાતખતપુર માં ગૌચરમાં થી દબાણો હટાવવા ના અહેવાલો મીડિયા માં પ્રસિદ્ધિ થતા દબાણ કરનારે સ્વખર્ચે જેસીબી દ્વારા તળાવ ઓગન નું દબાણ દૂર કર્યું

અરવલ્લી
માલપુર તાલુકા ના જુના તખતપુર ગામે ગૌચર ની જમીન માં આવેલ તળાવ અને ગોચર ની જમીનમાં થી પસાર થતાં કાચો રસ્તા ને ગામના જ એક વ્યક્તિ દ્વારા દબાણ કરેલું અને આગણ અને રસ્તો બંધ કરી દેતાં ગ્રામજનો એ આ વ્યક્તિ ને સમજાવવા છતાં નહીં સમજતાં અને જાવ જ્યાં જવું હોય ત્યાં નહીં હટે દબાણ તેવું જણાવતાં ગ્રામિણ જનતા દ્વારા અરવલ્લી કલેકટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉકટર અનિલ ધામેલીયા અને રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને
અરજી કરી તાત્કાલીક દબાણ દૂર કરવા માંગ કરી હતી તેમજ મીડિયા ને અરજી ની નકલો અને દબાણ કરેલા ફોટા આપી મીડિયા દ્વારા અહેવાલો પ્રસિધ્ધ થતા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી અને તાલુકા પંચાયત ના અધિકારીઓ સ્થળ તપાસ કરી સમજાવવા ના પ્રયાસો કરવા છતાં નિષ્ફળતા મળી હતી ત્યાર જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયતના દ્વારા આ અંગે તપાસ કરવા ની જાણ કરતા
ગૌચરની જમીનમાં રમેશભાઈ મગનભાઈ પટેલ નામના ઈસમે બિન‌અધિકૃત પણે ગૌચર પૈકીની કેટલીક ખુલ્લી કરવા માટે જેસીબી દ્વારા જો તમે જાતે ખુલ્લી નહિ કરો તો અમો પોલીસ રક્ષણ સાથે કરવાની ફરજ પડશે અને આ તમામ ખર્ચ તમારી પાસે થી વસુલાત કરવા માં આવશે માટે તમારે દૂર કરવું હોય તો તમે જાતે કરવી લેશો નહિતર સરકારી રાહે અમો કરાવીશું તેવી મીટીંગ કરી પંચાયત દ્વારા જણાવતાં હાલમાં તળાવ ના વધારા ના પાણી નો નિકાલ કરવા ની માગણી અને વર્ષો જૂનો રસ્તા નું દબાણ દૂર કરવા ની માંગણી કરી હતી જેમાં સ્થળઉપર હાલ તળાવ ના ઓગણ નું દબાણ દૂર કરવા ની તજવીજ હાથ ધરાઈ હતી હજુ રસ્તો ખુલ્લો કરાવવા ની માગ ઉભી રહી છે જોવું રહ્યું તલાટી સરપંચ અને તાલુકા ના અધિકારી ઓ દ્વારા દૂર કરાવશે કે આટલા થીજ સંતોષ માનશે
મુખ્યમંત્રી કાર્યાલય માં રાજ્ય સ્વાગત ઓનલાઈન માં પણ અરજી કરવામાં આવી છે હાલ મીડિયા ના અહેવાલો ની અસર થી તાત્કાલિક દબાણ દૂર કરવા ની દબાણકર્તા દ્વારા ખુલ્લી કરવા ની કામગીરી ચાલુ કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 697

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *