મેઘરજ તાલુકા માં કેટલાક બીટગાર્ડઓ દ્વારા પોતાના સેજા સિવાય ના વિસ્તારો અને પોતાના સેજાઓ માં આવતા ખેડૂતો ના ટ્રેકટેરો દ્વારા ખેડાણ પોતાની જમીનો માં કરતા હોવા છતાં ડરાવી ધમકાવી અને મારઝૂડ કરી રીતસર ના તોડ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે અને આ ચાંડાલ ચોકડી થી આદિવાસી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કેટલાક વિશ્વસનીય સૂત્રો માંથી મળેલી માહિતી મુજબ ગત રોજ મેઘરજ તાલુકાના ધાધિયા ગામના વિસ્તાર ના એક ખેડૂત સરકારી કામ અર્થે ગોચરમાંથી પથ્થરો ભરી ટેકટર જતું હતું ત્યારે ટેકટર ને રોકવી વાસ્તુપાસ નથી તમે કેમ પથ્થરો ભરી લઈ ને નીકળ્યા કહી ખેડૂતોને હેરાન પરેશાન કરતા હતા અને જો ખેડૂત ગુન્હેગાર હતો તો કાયદેસરની કાર્યવાહી કેમ કરી નથી અને ટેકટર ખાડીવાવ ના રસ્તે લઈ ગયા અને ખેડૂત પાસે જાણકારો ના જણાવ્યા મુજબ 25000 થી વધુ રૂપિયાનો તોડ કરી છોડી મૂક્યું હતું છેલ્લા કેટલાક વર્ષો થી એક ની એકજ રેન્જ અને બીટ માં નોકરી કરતા આ ત્રણ ચાર કર્મચારીઓ ની ચાંડાલ ચોકડી રોજ ની એક લાખ રૂપિયા ની પ્રેકટીસ કરતા હોવાની જાણકારો જણાવી રહ્યા છે એટલુંજ નહિ તેમની સંપત્તિ માં પણ કરોડો ની બનાવી દીધી આલીશાન લકઝરીયાસ મોંઘીદાટ ગાડીઓ પણ ધરાવે છે આદિવાસી ભોળી જનતા ને હેરાન પરેશાન કરવા નું જો આમ ને આમ ચાલશે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટી અસરો થશે આદિવાસી જનતા ને આ ટોળકી રીતસર ના હેરાન પરેશાન કરી રહ્યા છે ગત વર્ષે એક જેસીબી દ્વારા પોતાની માલિકી ની જમીન માં કામ કરતું ત્યારે આ ટોળકીએ પકડી લીધું હતું તેમાં એક લાખ જેટલો તોડ કરેલો જે અંગે ભાજપ ના અરવલ્લી જિલ્લા કક્ષાના હોદ્દેદાર ને જાણ કરતા તેમની મધ્યસ્થી થતાં રૂપિયા પાછા આપવા પડ્યા હતા આ ટોળી દ્વારા ઉચ્ચતર સુધી હપ્તા પહોચતા કરતા હોય છે જેઠી તેમનું કોઈ કશું બગાડી શકવા નું નથી જાવ જ્યાં જવું હોય ત્યાં તેવું પણ ખેડૂતો ને જણાવી રહ્યા છે ડી એફ ઓ તેમજ રેન્જ ફોરેસ્ટર અધિકારી અને કંજરવેટર ફોરેસ્ટ અધિકારી અને વનમંત્રી સુધી અમારી પહોંચ છે તમે જાણો છો ને અમો કેટલા વર્ષો થી આજ વિસ્તારમાં નોકરી કરીએ છીએ આતો આમજ ચાલશે લાવો પૈસા નહિતર તમને અને તમારી મશીનરી સળી જશે કોઈ નહિ છોડાવી શકે આમ ધમકાવી રૂપિયા પડાવતા હોવાની ચર્ચાઓ જોર પકડી છે હવે જોવું રહ્યું કે આ ચાંડાલ ચોકડી ને રાજ્ય સરકાર અને વન વિભાગ ના અધિકારીઓ પ્રામાણિક તપાસ કરી કડક કાર્યવાહી કરશે કે હોતી હૈ ને ચાલશે તે જોવું રહ્યું કિસાનો ના સંઘઠન દ્વારા આંદોલન પણ થઈ શકે તેવા સુર પણ સંભળાય છે કિસાનો ની મદદ કરશે કે કેમ તે પણ જોવું રહ્યું
મેઘરજ તાલુકા ના વન વિભાગના બીટગાર્ડ ની ચાંડાલ ચોકડી ખેડૂતો ને હેરાન પરેશાની કરી તોડ કરવા પેધા પડેલા કર્મચારીઓ ને સરકાર સબક શીખવાડે તેવી ખેડૂતો ની માંગ
Related Posts
કોમી એકતાની અનોખી મિશાલ: ચલાલામાં નવનિર્મિત આધુનિક ‘જુમ્મા મસ્જિદ’નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ
દાનમહારાજની ભૂમિમાં શબીરબાપુ અને વલકુબાપુની ગરિમામય હાજરીમાં રવિવારે લોકાર્પણ.…
કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રતિ વર્ષ અપાતા સન્માનનો અર્પણ સમારોહ ગુજરાતના વરિષ્ઠ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે.
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ, ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપદાઓનું જતન અને…
ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટની માનવતાભરી પહેલ
77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગવર્નમેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ - અમદાવાદ દ્વારા…
અંબાજી – નવીન “ઉમિયાધામ” નું તા.૨૫ જાન્યુઆરી ના રોજ લોકાર્પણ કરાશે.
અદ્યતન સુવિધાઓ થી સુસજ્જ નવીન ઉમિયાધામ નું સી.એમ શ્રી દ્વારા કરાશે લોકાર્પણ. ૭૨…
અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિક્રમ સંવત…
સશસ્ત્ર દળો અને નાગરિક સેવાઓ વચ્ચે સંયુક્ત પ્રશિક્ષણ સંયુક્ત તાલીમનું થયું સમાપન
ભુજ, સંજીવ રાજપૂત, એબીએનએસ: પ્રધાનમંત્રીના નિર્દેશો પર, ભારતીય વાયુસેનાએ ભૂજના…
૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે જેતપુરમાં કરાશે
રાજકોટ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાજકોટ જિલ્લાના જેતપુરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે…
લોધિકામાં વિવિધ સરકારી સેવાઓનું નિરીક્ષણ કરતા જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ, સંજીવ રાજપૂત: એબીએનએસ: જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદએ લોધિકા…
જાંબુઘોડા ખાતે ખેડૂતો અને ઉદ્યોગકારોને નિકાસની તકો અને આધુનિક પદ્ધતિઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું
પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬…
સુરક્ષા, સંકલ્પ અને સાહસનો સંગમ:પ્રજાસત્તાક પર્વ પૂર્વે ચેતક કમાન્ડોની જોવા મળી દિલધડક મોકડ્રીલ
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: એબીએનએસ: ૨૬ જાન્યુઆરીના રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક…
















