મેઘરજ તાલુકા માં કેટલાક બીટગાર્ડઓ દ્વારા પોતાના સેજા સિવાય ના વિસ્તારો અને પોતાના સેજાઓ માં આવતા ખેડૂતો ના ટ્રેકટેરો દ્વારા ખેડાણ પોતાની જમીનો માં કરતા હોવા છતાં ડરાવી ધમકાવી અને મારઝૂડ કરી રીતસર ના તોડ કરતા હોવાની ફરિયાદો ઉઠી છે અને આ ચાંડાલ ચોકડી થી આદિવાસી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે કેટલાક વિશ્વસનીય સૂત્રો માંથી મળેલી માહિતી મુજબ ગત રોજ મેઘરજ તાલુકાના ધાધિયા ગામના વિસ્તાર ના એક ખેડૂત સરકારી કામ અર્થે ગોચરમાંથી પથ્થરો ભરી ટેકટર જતું હતું ત્યારે ટેકટર ને રોકવી વાસ્તુપાસ નથી તમે કેમ પથ્થરો ભરી લઈ ને નીકળ્યા કહી ખેડૂતોને હેરાન પરેશાન કરતા હતા અને જો ખેડૂત ગુન્હેગાર હતો તો કાયદેસરની કાર્યવાહી કેમ કરી નથી અને ટેકટર ખાડીવાવ ના રસ્તે લઈ ગયા અને ખેડૂત પાસે જાણકારો ના જણાવ્યા મુજબ 25000 થી વધુ રૂપિયાનો તોડ કરી છોડી મૂક્યું હતું છેલ્લા કેટલાક વર્ષો થી એક ની એકજ રેન્જ અને બીટ માં નોકરી કરતા આ ત્રણ ચાર કર્મચારીઓ ની ચાંડાલ ચોકડી રોજ ની એક લાખ રૂપિયા ની પ્રેકટીસ કરતા હોવાની જાણકારો જણાવી રહ્યા છે એટલુંજ નહિ તેમની સંપત્તિ માં પણ કરોડો ની બનાવી દીધી આલીશાન લકઝરીયાસ મોંઘીદાટ ગાડીઓ પણ ધરાવે છે આદિવાસી ભોળી જનતા ને હેરાન પરેશાન કરવા નું જો આમ ને આમ ચાલશે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો મોટી અસરો થશે આદિવાસી જનતા ને આ ટોળકી રીતસર ના હેરાન પરેશાન કરી રહ્યા છે ગત વર્ષે એક જેસીબી દ્વારા પોતાની માલિકી ની જમીન માં કામ કરતું ત્યારે આ ટોળકીએ પકડી લીધું હતું તેમાં એક લાખ જેટલો તોડ કરેલો જે અંગે ભાજપ ના અરવલ્લી જિલ્લા કક્ષાના હોદ્દેદાર ને જાણ કરતા તેમની મધ્યસ્થી થતાં રૂપિયા પાછા આપવા પડ્યા હતા આ ટોળી દ્વારા ઉચ્ચતર સુધી હપ્તા પહોચતા કરતા હોય છે જેઠી તેમનું કોઈ કશું બગાડી શકવા નું નથી જાવ જ્યાં જવું હોય ત્યાં તેવું પણ ખેડૂતો ને જણાવી રહ્યા છે ડી એફ ઓ તેમજ રેન્જ ફોરેસ્ટર અધિકારી અને કંજરવેટર ફોરેસ્ટ અધિકારી અને વનમંત્રી સુધી અમારી પહોંચ છે તમે જાણો છો ને અમો કેટલા વર્ષો થી આજ વિસ્તારમાં નોકરી કરીએ છીએ આતો આમજ ચાલશે લાવો પૈસા નહિતર તમને અને તમારી મશીનરી સળી જશે કોઈ નહિ છોડાવી શકે આમ ધમકાવી રૂપિયા પડાવતા હોવાની ચર્ચાઓ જોર પકડી છે હવે જોવું રહ્યું કે આ ચાંડાલ ચોકડી ને રાજ્ય સરકાર અને વન વિભાગ ના અધિકારીઓ પ્રામાણિક તપાસ કરી કડક કાર્યવાહી કરશે કે હોતી હૈ ને ચાલશે તે જોવું રહ્યું કિસાનો ના સંઘઠન દ્વારા આંદોલન પણ થઈ શકે તેવા સુર પણ સંભળાય છે કિસાનો ની મદદ કરશે કે કેમ તે પણ જોવું રહ્યું
મેઘરજ તાલુકા ના વન વિભાગના બીટગાર્ડ ની ચાંડાલ ચોકડી ખેડૂતો ને હેરાન પરેશાની કરી તોડ કરવા પેધા પડેલા કર્મચારીઓ ને સરકાર સબક શીખવાડે તેવી ખેડૂતો ની માંગ
Related Posts
અમદાવાદ પોલીસ કમિશનરની પહેલ અને બાળકોના બહાર આવેલ કૌશલ્યને બિરદાવતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલ આશરે 14 પોલીસ…
સિવિલ હોસ્પિટલમાં 193 મું અંગદાન: અમદાવાદમાં રહેતા 45 વર્ષના બ્રેઇનડેડ હેમંત સોનીની બે કીડની, લીવર, બે આંખો તથા ચામડીનું દાન મળ્યું
અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩…
ભુજ ખાતે તા.૨૬મીના યોજાનાર પ્રધાનમંત્રીશ્રીના સંભવિત કાર્યક્રમની તૈયારી અનુસંધાને પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
કાર્યક્રમ સ્થળની જાત મુલાકાત લઇને પ્રભારીમંત્રીશ્રીએ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે રૂ.૧૫૯૩ કરોડનાં કુલ ૯૪ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમદાવાદઃ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગર લોકસભાના…
રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં તિરંગા યાત્રા યોજાઈ..
રાધનપુર, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ઓપરેશન સિંદૂરના સન્માનમાં…
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ 'ઓપરેશન સિંદૂર'ને બિરદાવતી…
ગોઝારીયા ખાતે કેન્દ્રિય ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં શ્રી કે.કે.પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ નર્સિંગ કોલેજ ઉદ્ધાટન સમારોહ યોજાયો
મહેસાણા, સંજીવ રાજપૂત: મહેસાણા જિલ્લાના ગોઝારીયા ખાતે શ્રીમતી સમરથબેન ચુનિલાલ…
ગોધરાના કાંકણપુર-છકડીયા રોડ પર બેફામ દોડતા ટ્રકથી લોકોમાં અકસ્માતનો ભય
ગોધરા, વી.આર. એબીએનએસ, (પંચમહાલ)::ગોધરાના કાંકણપુરથી છકડીયા તરફના માર્ગ પર…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા…