Breaking NewsLatest

રાજકોટ શહેર ટીમનો સર્વ સમાજમાટે મેડિકલ કુપન વિતરણ કાર્યક્રમ..

 

આહીર સમાજ ના ૩૯,૦૦૦ જેટલા વિશાળ સભ્યો ધરાવતું આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ની ના. 13 જુલાઈ 2021 ના રોજ પહેલી વર્ષગાંઠ નિમિતે રાજકોટ ખાતે વિવિધ વિસ્તાર માં દરેક જ્ઞાતિના જરૂરિયાતવાળા લોકોને દવાના ખર્ચમાં રાહત મળે તે માટે વ્યક્તિ દીઠ રૂ. 500 ના મેડિસિન ડિસ્કાઉન્ટ કુપન સુપ્રત કરવાનો સેવા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો. શહેરના ચાર વિસ્તારોના લગભગ 121 લોકોને આ મેડિસિન ડિસ્કાઉન્ટ કુપન સુપ્રત કરવામાં આવ્યા. આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ભગવાન શ્રી કૃષ્ણએ વારસામાં આપેલી “વસુધૈવ કુટુંબકમ” ની ભાવના સાથે સમાજના દરેક વ્યક્તિને સાથે લઈને ચાલવાના વિચાર રૂપે આ રીતે વિવિધ સેવા પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં પણ યોજવાની નેમ ધરાવે છે. આ પ્રસંગે રાજકોટ શહેરના મેયર શ્રી ડો. પ્રદીપભાઈ ડવ, પ્રદેશ કમિટીમાંથી આ ગ્રુપના સ્થાપક શ્રી પી.આઈ.રામ સાહેબ, ઘનશ્યામભાઈ હેરભા, શ્રી સંજયભાઈ છૈયા, શ્રી મથુરભાઈ બલદાણીયા શ્રી નીતિનભાઈ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા, અન્ય મહાનુભવોમાં કોર્પોરેટર્સ શ્રી હરિભાઈ ડાંગર, શ્રી નરેન્દ્રભાઇ ડવ, શ્રી હિરેનભાઈ ખીમાણિયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, શ્રી ઘનશ્યામભાઈ કુંગસીયા, શ્રી કાળુભાઇ કુગસિયા, સામાજિક આગેવાનો શ્રી વિજયભાઈ ડોબરીયા (સદ્ ભાવના વૃદ્ધાશ્રમ), શ્રી લલીતભાઈ વાડોલીયા, શ્રી સુરેશભાઈ ગરૈયા, શ્રી પ્રભાતભાઈ ડાંગર, શ્રી અજિતભાઈ લોખીલ, શ્રી સવજીભાઈ મૈયડ, શ્રી ભરતભાઇ સવસેટા, શ્રી નંદાભાઈ ડાંગર, શ્રી મેહુલભાઈ બોરીચા, શ્રી વિભાભાઈ મિયાત્રા, તથા શ્રી રતિભાઈ ખૂગલા ઉપસ્થિત રહ્યા હતા,

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ – રાજકોટ દ્વારા આ સેવા યજ્ઞને સફળ બનાવવામાં ગુજરાતનાં માર્ગદર્શક શ્રી ઘનશ્યામભાઈ હેરભા, રાજકોટ શહેરના કન્વીનર શ્રી વિરાભાઈ હુંબલ, રાજકોટના ગ્રુપના માર્ગદર્શક શ્રી પરિમલભાઈ પરડવા, રાજકોટ શહેર પ્રભારી શ્રી કિરીટભાઈ મૈયડ, ઝોન કન્વીનર્સ શ્રી મહેશભાઈ કારેથા, શ્રી દિલીપભાઈ બોરીચા, શ્રી ભાનુભાઈ મિયાત્રા, ચૈતન્યભાઈ સિંહાર તથા સહ-કન્વીનર્સ શ્રી અજયભાઈ લોખીલ, શ્રી વિપુલભાઈ ડવ, શ્રી શૈલેષભાઇ ડાંગર, શ્રી શૈલેષભાઇ ખાંભરા, શ્રી જનકભાઈ ડાંગર, શ્રી કમલેશભાઈ કોઠીવાળ, શ્રી વિમલભાઈ ડાંગર, શ્રી લાલભાઈ હુંબલ, શ્રી કરશનભાઇ નંદાણીયા, શ્રી સુભાષભાઈ ડાંગર, શ્રી પ્રવીણભાઈ સેગલીયા, શ્રી હરેશભાઇ વિરડા, શ્રી કરશનભાઇ મેતા, શ્રી હીરાભાઈ ડાંગર, શ્રી પ્રણવભાઈ પંચોલી, ધવલ મહેતા, ડૉ. વિરલ બલદાણીયા, ડૉ. જીતેન્દ્ર ગાધે, પ્રભાતભાઇ જળું, તેમજ ગ્રુપના બધા જ સભ્યો તથા શ્રી હિતેશભાઈ મારુ,શ્રી રાણાભાઈ ગોજીયા અને શ્રી ઝાલાસાહેબની જહેમતથી સફળ થયો હતો. આ નિમિતે આહીર સમાજના તમામ ભાઈઓ તથા બહેનોને અને આ ગ્રુપમાં જોડાઈને સમાજ સાથે સામાજિક, વ્યવહારિક, વ્યવસાયિક, હકારાત્મક રીતે જોડાવા આહવાહન કરવામાં આવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *