જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
"બ્લેક આઉટ એટલે અંધારપટ", યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…
રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…
રોકડ રૂ.૨૬,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદાઓ પાડી ચિઠ્ઠીઓમાં હિસાબ લખી જુગાર રમતા માણસને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…