જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
ચકલી બચાવો અભિયાન હેઠળ સતત ૧૧ માં વર્ષે ધારાસભ્ય,ભાજપ અધ્યક્ષા, મહામંત્રી,…
અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
ભવ્ય શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અંબાજી ખાતે શ્રી જીણમાતાનો…
બોટાદની જનતા જોગ: બોટાદ જિલ્લામાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
બોટાદ જીલ્લાના ૭૦ પેટ્રોલ પંપો પર ઈંધણનો પુરવઠો યથાવત બોટાદ જિલ્લાની પ્રજાએ…
જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નગરના પૂર્વ મહિલા કોર્પોરેટર દ્વારા ‘ચકલી બચાવો અભિયાન’ અન્વયે પાણીના કુંડા અને ચકલીઓના માળાનુ વિતરણ
જામનગર સંજીવ રાજપૂત, એબીએનએસ: સમગ્ર વિશ્વમાં તા. ર૦ મી માર્ચે 'વિશ્વ ચકલી…
જિલ્લાના પવિત્ર યાત્રાધામ શ્રી ખોડિયાર મંદિર ગળધરા ખાતે ખાણીપીણીની દુકાનો પર ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું
દુકાન માલિકોને સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશનનું પાલન કરવા સૂચના આપવામાં આવી અમરેલી…
















