જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…