જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકેનો ચાર્જ સંભાળતા એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ
મુંબઇ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વધારાના ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠક, પીટીએમ, ટીએમએ…
શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા
શંખેશ્વર, સંજીવ રાજપૂત: વઢિયાર પંથકમાં આવેલ શંખેશ્વર મહાતીર્થે ગ્રામ પંચાયત…
ધારી તાલુકાના નાના એવા ઝર ગામમાં આજે તા.16 જાન્યુઆરીએ સવાર ના અગીયાર કલાકે સરકારશ્રીની વિવિધ લક્ષી યોજનાઓ અને ગ્રાન્ટો માંથી અંદાજે અઢી કરોડના ગુણવતાયુકત વિકાસ કામોના લોકાર્પણ કરવામા આવ્યા..
ધારી તાલુકાના ઝર ગામના શિક્ષિત.. લોક સાહિત્યકાર.. બાહોશ,અને નીડર સરપંચ શ્રી…
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં બીજેપીના થયેલા* *ભવ્ય વિજયને વધાવવા માટે જામનગર શહેર ભાજપા દ્વારા કરાઈ ઉજવણી
જામનગર, સંજીવ રાજપૂત: મહારાષ્ટ્રમાં બૃહદમુંબઈ મહાનગર પાલિકા (BMC) ની ચૂંટણી…
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે
ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…
જામનગરની સૈનિક શાળા બાલાચડી ખાતે ૭૮મા ‘ભારતીય આર્મી ડે’ ની ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત: બાલાચડી ખાતે ૭૮મો ભારતીય સેના દિવસ ગૌરવ અને દેશભક્તિના…
બોન્ડટાઇટ દ્વારા રણબીર કપૂર સાથે મળીને ભારતીય એડહેસિવ બજારને નવી દિશા આપતી ભવ્ય પહેલ
મુંબઇ, એબીએનએસ: 30 વર્ષથી વધુનો મજબૂત વારસો ધરાવતી અને ભારતની સૌથી વિશ્વસનીય…
મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે
મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદમાં મકરસંક્રાંતિની ધામધૂમથી ઉજવણી કરી
પાલનપુર, એબીએનએસ: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ શહેર ખાતે નાગરિકો સાથે…
સાવરકુંડલામાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાયું ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
અતૂટ આસ્થાના ૧૦૦૦ વર્ષ: સાવરકુંડલાના શિવાલયમાં ગુંજ્યા હર હર મહાદેવના નાદ,…
















