જામનગર: વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ, જેમાં આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર તથા ચેરમેન ઓફ એસ.સી.સી અસ્લમ શૈખ, ડી.સી.એમ.આઈ પાલવ જોશી, સ્ટેશન સુપ્રીટેન્ડન્ટ, તથા જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ કમિટીના સભ્યો હિમાંશુ કુંડલીયા, કુણાલ શેઠ, ભાર્ગવ ઠાકર, અશોકભાઈ અડાલજા, ભસ્માંગ પંડ્યા, ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકો સાથે પરામર્શ કરી, અભિપ્રાય લઇ, જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ યાત્રી સુવિધાઓ અંગે સૂચન કરવામાં આવેલ. આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યો દ્વારા જામનગર સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરેલ. જામનગરના સાંસદ પૂનમબેન માડમના સક્રિય પ્રયાસો થી જામનગર રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે, તથા ફૂટ ઓવર બ્રિજ માટે લિફ્ટની વ્યસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત જામનગર સ્ટેશન સુધી ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી પૂર્ણ કરી ખંભાળિયા સ્ટેશન થી આગળ આ કામગીરી ધપાવવામાં આવેલ છે. તેની માહિતી મેળવેલ. ટેઈનના આવાગમન સમયે લિફ્ટની સુવિધા ચાલુ રાખવા, ડિજિટલ કોચ ઇન્ફોરમેશન સિસ્ટમ બોર્ડ પર માહિતી મળતી રહે તે સુવિધા ચાલુ કરવાની બાબત ધ્યાને આવતા આ મુદ્દે ચર્ચા કરી, ચર્ચાના અંતમાં બંને સૂચન અંગે યોગ્ય કરવા રેલવે દ્વારા ખાતરી આપવામાં આવેલ. સ્ટેશન પર આવાગમન સમયે પ્લેટફોર્મ પર આવવા તથા નીકળવા માટે અલાયદા માર્ગને ખુલ્લો રાખવા સૂચન કરવામાં આવેલ, એ તબ્બકે રેલવે દ્વારા યોગ્ય વ્યસ્થા કરી સૂચન અનુસાર વ્યસ્થા કરેલ. આગામી સમયમાં જામનગર રેલવે સ્ટેશનને ઇલેક્ટ્રોનિક એક્સલેવેટર મુકવામાં આવશે, જેના દ્વારા પેસેન્જર પાર્કિંગ થી સીધા પ્લેટફોર્મ નંબર ૧, ૨ તથા ૩ પર પહોંચી શકાય તેવી વ્યવસ્થા કરવામાં ઉપલબ્ધ બનશે તેવી માહિતી મેળવવામાં આવેલ. સૌરાષ્ટ્ર જનતા મુદ્દે ચર્ચા કરતા રેલવે દ્વારા જણાવામાં આવેલ કે હાલ જામનગરને વિશેષથી ૨૩ બોગીની ટ્રેઈનનો ક્વોટા ફાળવાયો છે. આ ઉપરાંત ટૂંકા ગાળામાં ઇન્ટરસીટી ટ્રેઈન શરુ કરવા બાબતની ચર્ચા કરવામાં આવેલ. જામનગર શહેરમાં સીટી બુકીંગ ઓફિસ અથવા ઇન્ડિયા પોસ્ટ ઓફિસ જી.પી.ઓ માં ટિકિટ બુકીંગ ઓફિસ સુવિધા શરુ કરવા સૂચન કરવામાં આવેલ હતું. એકંદરે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની મીટીંગ ખુબ સફળ તથા સકારત્મક રહી હતી. જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિના સભ્યોએ જામનગરના લોકોના વેસ્ટર્ન રેલવે સંબંધિત સ્ટેશન પરના યાત્રી સુવિધા મુદ્દેના સૂચનો રેલવે સુધી પહોચાડેલ. રેલવે અધિકારી ચેરમેન એસ.સી.સી દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર ઉત્કૃષ્ટ યાત્રી સુવિધા પ્રદાન કરવાની ખાતરી સાથે તમામ યોગ્ય સૂચનોની આગામી સમયમાં અમલવારી અર્થે આગળ વધવાની ખાતરી આપેલ. જામનગર સ્ટેશન પર ના તમામ સ્ટાફ વિમાનમ્ર અને સમર્પિત છે, સતત યાત્રી સુવિધા અર્થે જાગૃત રહે છે, આ તબ્બકે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિ દ્વારા જામનગર સ્ટેશન તથા રાજકોટ ડિવિઝન વેસ્ટર્ન રેલવેના સ્ટાફ / ટિમને અભિનંદન પાઠવેલ.
વેસ્ટર્ન રેલવે જામનગર સ્ટેશન કન્સલ્ટેટિવ સમિતિની બેઠક યોજાઈ.
Related Posts
ગૌ પ્રેમીઓ અને ગ્રામજનોનો ગ્રામ પંચાયતના આદેશ પર ફૂટ્યો ગુસ્સો, ગ્રામ પંચાયત ગાયો માટે ઉચિત નિર્ણય નહી લે તો સમગ્ર અંબાજી બંધ રહેશે અને ઉગ્ર આંદોલન પણ થશે
શક્તિપીઠ અંબાજી ખાતે બે દિવસ થી ગાયો માટે ચાલી રહેલો મામલો હજી થાળે પડતો નજરે…
અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!
વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…
સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાના કામની મુલાકાત લીધી
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધિ” અંગે સમીક્ષા બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લામાં આવેલ સિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રીશ્રી જગદીશ…
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના અઘ્યક્ષસ્થાને જિલ્લાના બ્રિજની ચકાસણી તથા રસ્તાઓના દુરસ્તી કામ અંગેની સમીક્ષા બેઠક યોજાઈ
ભાવનગર ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ…
નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા શહેરી વિસ્તારમાં 108 વૃક્ષારોપણ કરાયું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્રારા ગોલ્ડન સિટી…
દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી
17 જુલાઈના રોજ બનાસકાંઠાના મહેમાન બનેલા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી…
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…