Breaking NewsLatest

શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચલા વાપી દ્વારા સૌરાષ્ટ્રના વાવાઝોડા અસરગ્રસ્ત ગામોમાં ૫૦ હજાર નળિયા વિતરણ

વાપી ૧
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ સૌરાષ્ટ્રના વાવઝોડા પીડિતોને અગાઉ તાત્કાલિક રાહત પેટે ત્રણ ટેમ્પાભરી ફૂડ પેકેટ, શાકભાજી વગેરે રાહત સામગ્રી વિતરણ કરવામાં આવી હતી એની સાથે જ જે ઘરોના છાપરા ઉડી ગયા અને નવી છત બનાવવા નળિયાની જરૂરિયાત હોય તેવા અસરગ્રસ્તોનો સર્વે કરી ખરેખર તાત્કાલિક જરૂરિયાત મંદોને ૫૦ હજાર નળિયા વિતરણ શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચલા વાપી દ્વારા સંતોની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવતા અસરગ્રસ્ત પરિવારોમાં આનંદ સાથે રાહતની લાગણી નિહાળવા મળી હતી.
‘તૌક્તે’ વાવાઝોડાને કારણે સૌથી વધુ પ્રભાવિત બનેલા સૌરાષ્ટ્રના કોદીયા. મોટા માણસા, ભાવરડી, પીંછડી, ચરખડીયા, પાતાપર વિગેરે ગામોમાં પીડિતોના ઘરોના છાપરા ઉડી ગયા હોય ચોમાસા પહેલા તેમના ઘરોની નવી છત તૈયાર થઇ જાય અને પરિવાર ફરી પૂર્વવત પોતાના ઘરમાં યોગ્ય રીતે રહેતો થાય તે માટે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચલા વાપી દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ૫૦ હજાર નળિયા વિતરણ કરવામાં આવ્યું હતું
નોંધનીય છે કે કુદરતી આફતના ટાણે તંત્રની હાકલની વાટ જોયા વીના રાહત સામગ્રી પહોચડવા માનવીય ઉત્તર દાયિત્વ નિભાવવા હંમેશા તત્પર રહેતા એવા વલસાડ જીલ્લાના વાપી તાલુકાના સલવાવ ગામે કાર્યરત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્રના પૂજ્ય સંતો દ્વારા દાતાઓના સહયોગથી ‘તૌક્તે’ વાવાઝોડા થકી સૌરાષ્ટ્રના ગામડામાં ખાનાખરાબીના સમાચાર મળતા જ સંસ્થાના શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફના યોગદાન થકી પ્રત્યેક કીટમાં દરેક પ્રકારના 5 કિલો શાકભાજી સાથે લીંબુ, આદુ ,મરચા, ધાણા 5 કિલો બટેટા, 5 કિલો ઘઉ નો લોટ, 5 પાણી ની બોટલ, 1 કિલો ગાંઠિયા, 1 કિલો ચવાણું, સુખડી વિગેરે તાત્કાલિક જરૂરિયાતની ચીજ વસ્તુની ૧ હજાર કીટ તૈયાર કરી તારીખ ૨૦-૫-૨૦૨૧ ના રોજ પહોચી 3 મોટા ટેમ્પા ભરી ને સૌરાષ્ટ્ર ના સાવરકુંડલા સરખડીયા ખાંભા બારપટોળી ભાડ સાજણાવાવ માણેકનેસ શેલણા વિગેરે ગામો માં સલવાવ વાપીથી કિટોનું વિતરણ કરવા પુ. કપિલસ્વામી, ઘનશ્યામસ્વામી, રામસ્વામી, બાબુભાઇ વિગેરેના હસ્તે અસરગ્રસ્ત ગામોમાં 3 દિવસ રોકાઈને આ રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું


આ રાહત સામગ્રી વિતરણ સાથે રૂબરૂ પહોચેલા સંતગણ ને આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોના છાપરા ઉડી જતા તેના સર્વેનું કાર્ય હાથ ધરી અને ફરી દાતાઓના સહયોગથી કોદીયા, મોટા માણસા, ભાવરડી, પીંછડી, ચરખડીયા, પાતાપર જેવા ગામોમાં જરૂરિયાત લોકો ને ઘેર ઘેર પહોંચી 5 ટ્રકમાં ભરી 50000 નળીયા નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં પુ. કપિલસ્વામી, પુ. ઘનશ્યામસ્વામી, પુ. રામસ્વામી વિતરણ માં સાથે રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…

રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

અપરાજિતા ટ્રસ્ટના ઉપક્રમે જરૂરિયાતમંદ દીકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકોનું વિતરણ કરાયું

મહેસાણા, સંજીવ રાજપૂત: સરકારની વિવિધ વિભાગની યોજનાઓ થકી દરેક સમાજની મહિલાઓનો…

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ ગયું

કપિલ પટેલ દ્વારા અમદાવાદ -લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ હેપ્પીનેસ અને સપ્તપદી મેરેજ…

1 of 702

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *