Breaking NewsLatest

સાંસદશ્રી પૂનમબેન માડમે સપરિવાર વેકસીનનો બીજો ડોઝ લઈ અન્યોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી. લોકોને પ્રધાનમંત્રીના ‘દવાઈ ભી, ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરવા સાંસદશ્રીનું આહવાન

જામનગર : , નોવેલ કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના પ્રતિરોધક વેકસીન આપવામાં આવી રહી છે. ત્યારે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના સાંસદશ્રી પૂનમબેન માડમ તથા તેમના પરિવારજનોએ શહેરની જી.જી.હોસ્પિટલ ખાતે વેકસીનનો બીજો ડોઝ લઇ અન્ય નાગરિકોને પણ વેકસીન લેવા પ્રેરણા આપી હતી.

આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ અને ભારત દેશ કોરોનાની મહામારી સામે મજબૂતીથી લડી રહ્યો છે ત્યારે આ મહામારી સામે લડવાનું મજબૂત હાલના તબક્કે જો કોઈ હોય તો તે એક માત્ર વેકસીન જ છે. અને તેથી જ મેં પણ આજે વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. વેક્સિન કોરોના મહામારી સામે લડવામાં ચોક્કસપણે મદદરૂપ થાય છે પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘દવાઈ ભી,ઔર કઢાઈ ભી’ ના મંત્રને અનુસરી માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા વારંવાર હાથ ધોવા પણ એટલા જ જરૂરી છે. કોરોના સામે લોકોને જાગૃતિ દાખવી પોતાની જાતને સુરક્ષિત કરવા અને જ્યારે પણ પોતાનો ક્રમ આવે ત્યારે અચૂક વેક્સિન લેવા સાંસદશ્રીએ અનુરોધ કર્યો હતો અને ઉમેર્યું હતું કે તકેદારી રાખીશું તો ચોક્કસ આ મહામારી પર વિજય મેળવીશું.

આ તકે સાંસદશ્રી પૂનમબેન માડમની સાથે મેયરશ્રી બિનાબેન કોઠારી, ભાજપ પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડીન શ્રીમતી નંદીની દેસાઇ, કોવિડ હોસ્પિટલના નોડેલ ઓફિસરશ્રી ડો. ચેટરજી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *