અમદાવાદ: ભારત સરકારે જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સ માટે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ ગુજરાત નિદેશાલય માટે વધારાની 3721 જગ્યાની ફાળવણી કરી છે. આનાથી ખાનગી શાળાઓના એવા તમામ વિદ્યાર્થીઓને લાભ થશે જેઓ મર્યાદિત બેઠકોના કારણે NCCમાં જોડાવાની પ્રતીક્ષામાં છે. આ જગ્યાઓની વિવિધ યુનિટ્સમાં રસ ધરાવતી શાળાઓમાં વહેંચણી કરવામાં આવશે. આ કેડેટ્સને સ્ટ્રક્ચર્ડ મિલિટરી તાલીમ આપવામાં આવશે અને તેઓ શિબિર, વિવિધ સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ અને સૌથી પ્રતિષ્ઠિત એવી નવી દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ શિબિરમાં પણ ભાગ લઇ શકશે. આ કેડેટ્સ શાળાઓમાં તેમની NCCની તેમની તાલીમ પૂરી કર્યા પછી ‘A’ અને ‘B’ પ્રમાણપત્ર માટે પાત્રતા ધરાવશે અને તેનાથી સશસ્ત્ર દળોમાં જોડાવામાં પણ તેમને મદદ મળી રહેશે. ગુજરાત NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ખાનગી શાળાઓ માટે આ પરિવર્તનકારી નિર્ણય છે. આ બેઠકો લેવામાં રસ ધરાવતી તમામ શાળાઓ તેમની નજીકના NCC યુનિટનો સંપર્ક કરી શકે છે.
સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી
Related Posts
“રથયાત્રા” અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા બે દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 45 ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને…
ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો
એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…
ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…
શ્રી રાપરીયા યુવા સંગઠન દ્વારા નિ:શુલ્ક ચોપડા વિતરણ અને સન્માન સમારોહ યોજાયો.
રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર…
અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા ફરિયાદ સહ-સંકલન સમિતિની બેઠક યોજાઈ
જામનગર સંજીવ રાજપૂત, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જામનગર…
વિશ્વ પયૉવરણ દિન અંતર્ગત હારીજ APMC ખાતે વૃક્ષારોપણ કરાયું.
રાધનપુર,એ.આર. એબીએનએસ : "એક પેડ માં કે નામ" વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે…
જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ
જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…