અમદાવાદ: ભારત સરકારે જુનિયર ડિવિઝન/ જુનિયર વિંગ કેડેટ્સ માટે સંપૂર્ણ સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ ગુજરાત નિદેશાલય માટે વધારાની 3721 જગ્યાની ફાળવણી કરી છે. આનાથી ખાનગી શાળાઓના એવા તમામ વિદ્યાર્થીઓને લાભ થશે જેઓ મર્યાદિત બેઠકોના કારણે NCCમાં જોડાવાની પ્રતીક્ષામાં છે. આ જગ્યાઓની વિવિધ યુનિટ્સમાં રસ ધરાવતી શાળાઓમાં વહેંચણી કરવામાં આવશે. આ કેડેટ્સને સ્ટ્રક્ચર્ડ મિલિટરી તાલીમ આપવામાં આવશે અને તેઓ શિબિર, વિવિધ સાહસપૂર્ણ પ્રવૃત્તિઓ અને સૌથી પ્રતિષ્ઠિત એવી નવી દિલ્હી ખાતે યોજાતી પ્રજાસત્તાક દિવસ શિબિરમાં પણ ભાગ લઇ શકશે. આ કેડેટ્સ શાળાઓમાં તેમની NCCની તેમની તાલીમ પૂરી કર્યા પછી ‘A’ અને ‘B’ પ્રમાણપત્ર માટે પાત્રતા ધરાવશે અને તેનાથી સશસ્ત્ર દળોમાં જોડાવામાં પણ તેમને મદદ મળી રહેશે. ગુજરાત NCC નિદેશાલયના અધિક મહાનિદેશક મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ખાનગી શાળાઓ માટે આ પરિવર્તનકારી નિર્ણય છે. આ બેઠકો લેવામાં રસ ધરાવતી તમામ શાળાઓ તેમની નજીકના NCC યુનિટનો સંપર્ક કરી શકે છે.
સેલ્ફ ફાઇનાન્સ યોજના હેઠળ જુનિયર ડિવિઝન / જુનિયર વિંગ કેડેટ્સ માટે વધારાની 3721 જગ્યાઓ ફાળવવામાં આવી
Related Posts
અમદાવાદમાં ધ ફર્નમાં વધુ એક મોરપીંછનો ઉમેરો, ધ ફર્ન એલિસબ્રિજનો થયો શુભારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડન્સીનું થયું ઉદ્ઘાટન.…
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLU, ગાંધીનગર ખાતે ૧૫મા…
વિકાસની દિશામાં વધુ એક કદમ
૧૫ કરોડના શેત્રુંજી નદી ઉપર મેકડા-ઇંગોરાળા રોડમાં મેજર બ્રીજની મંજુરી મેળવતા…
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના પરિજનોને શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિકો સાથે રામકથામાં ભાવવિભોર અંજલિ આપી.
કામરેજના સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.…
જમ્મુના પહેલગાવમાં આતંકી હુમલા ને લઈને રાધાનપુરમાં શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો.
પાટણ. એઆર, એબીએનએસ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી, સાંત્તલપુર,રાધનપુરમાં…
ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી
બનાસકાંઠા, એબીએનએસ: લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ દરમિયાન ચાલુ ફરજે કર્મચારીનું…
જામનગરમાં ખેલમહાકુંભની રાજ્યકક્ષાની ફેન્સીંગ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો
જામનગર, સંજીવ રાજપૂત, જામનગરના JMC સ્પોર્ટસ કોમ્પલેક્ષના ઇન્ડોર હોલ ખાતે આજે…
સુરત શહેર વરાછાના અધૂરા રીંગ રોડનું કામ શરુ કરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે :- શિક્ષણ રાજ્ય મંત્રી: પ્રફુલભાઈ
સુરત, સંજીવ રાજપૂત: શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત શહેરના વરાછા…
અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ “આઈ-ખેડૂત ૨.0 પોર્ટલ”નો કૃષિ મંત્રીના હસ્તે શુભારંભ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારની કૃષિ, બાગાયત અને પશુપાલન સંબંધિત તમામ…