Breaking NewsLatest

સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે નશાબંધી અને આબકારી નિયામકના અધ્યક્ષ સ્થાને વ્યસનમુકિત કાર્યક્રમ યોજાયો

જામનગર: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.6/4/22 ના રોજ જામનગર જિલ્લાની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે નશાબંધી અને આબકારી વિભાગ ગાંધીનગરના નિયામકશ્રી સુનિલકુમાર (I.A.S.) ની પ્રેરક ઉપસ્થિતીમાં વ્યસન નિષેધ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને તમાકુ, બીડી, સિગારેટ તથા દારૂ જેવા તમામ વ્યસનોથી દુર રહેવા તથા તેઓના પરિવારના સભ્યો તેમજ મિત્રોમાં જો કોઇ આ પ્રકારના વ્યસનો ધરાવતું હોય તો તેઓને આ વ્યસનની બદિથી દુર રાખવા અપીલ કરી હતી. તેમજ નિયામકશ્રીએ ગાંધીજીના જીવન-કવન વિશેની માહિતી આપી હતી અને ઉમેર્યુ હતુ કે રાજ્ય સરકાર પણ ગુજરાતમાથી વ્યસનના દુષણને દુર કરવા સતત પ્રયત્નશિલ છે અને તેથી જ લઠ્ઠા કાંડ, ડ્રગ્સ, દારૂ વગેરે જેવા ગુનાહિત કૃત્યો આચરતા ગુનેગારને ફાંસીની સજા મળે એ પ્રકરના કયદાઓ રાજ્ય સરકારે અમલમાં મુક્યા છે. તેમજ ફેસબુક, વોટ્સએપ, ગેમિંગ તથા ઇન્ટરનેટ આ તમામ સ્ક્રીનનો સદઉપયોગ થાય તેવા હેતુથી જ તેનો ઉપયોગ કરવા સુચના આપી હતી.

આજની યુવા પેઢીને આસન, પ્રાણાયામ, યોગ તરફ વળવા અપીલ કરી હતી.આ કાર્યક્રમમાં સ્કુલના આચાર્ય શ્રી સિંઘ તથા શાળાના કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સહદેવસિંહ વાળા, અધિક્ષક, નશાબંધી અને આબકારી, જામનગર અને તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’

દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…

તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર

પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…

1 of 733

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *