Latest

૨૧ મે, ૨૦૨૨ ના રોજ પૂર્વ વડાપ્રધાન સ્વ. *રાજીવ ગાંધી ની ૩૧મી પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત શહેરમાં વિધાનસભા દીઠ મુખ્ય મથક પર છાશ વિતરણનું આયોજન રાખવામાં આવેલ. જે નિમિત્તે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ૧૬૪- ઉધના વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી હરિશકુમાર સુર્યવંશીના માર્ગદર્શન હેઠળ ઉધના વિધાનસભા વિસ્તારના ઉધના ત્રણ રસ્તા નજીક કોંગ્રેસ આગેવાનો દ્વારા ૩૦૦૦ પેકેટ છાસ નું વિતરણ રાહદારીઓને કરવામાં આવેલ.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

             સ્વ.રાજીવજીના દેશના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ક્ષેત્રે કે કોમ્પ્યુટર ટેકનોલોજી કે પછી ટેલીકોમ્યુનિકેશન ક્ષેત્ર હોય આજે ભારત દેશના લાખો યુવાનો વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે સફળ કામ કરી રહ્યા છે જેના કારણે આજે ભારત દેશ દરેક ક્ષેત્રમાં આગવી નામમાં ધરાવતો અગ્રીમ દેશ બની ગયો છે. ૧૮ વર્ષે મતાધિકાર, લોકશાહીનું કર્યું નવસર્જન, પંચાયતી રાજમાં સુધારો કરીને મહિલાઓ માટે ૩૩ ટકા બેઠકોથી મહિલા સશક્તિકરણ માટે પગલાં ભરીને મહિલાઓને રાજનીતિ ક્ષેત્રે ભાગીદાર બનાવ્યા, ટેકનોલોજી મિશન દ્વારા રસીકરણ કાર્યક્રમ અમલમાં મૂકી પોલિયો મુક્ત ભારત નું સ્વપ્ન સાકાર થયું હોય તો તેની પાછળ સ્વ.રાજીવ ગાંધીજીની દુરદેશી દૂરંદેશી દૃષ્ટિ જવાબદાર છે.

       આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે આશરે 3000 પેકેટ છાસ વિતરણના કાર્યક્રમ દરમિયાન સુરત શહેર ઉપપ્રમુખ હરિશકુમાર સુર્યવંશી, જયેશભાઈ ભટ્ટ(ઉધના મંદિર મહારાજ), પ્રદેશ આગેવાન રોશનભાઈ મિશ્રા, વોર્ડ પ્રમુખ સુનાલ શેખ, હરેશભાઈ પરમાર, સૈલેશભાઈ રાજપૂત, રત્ના પરમાર, સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *