Breaking NewsLatest

૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસની ગાયત્રી પરિવાર દ્વારા ઉજવણી

મોડાસા, ૫ જૂન: આજે જ્યારે વિશ્વભરમાં પર્યાવરણ બચાવવા સૌ ચિંતિત છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત આજે તરુ રોપણ માટે વિશેષ આંદોલન ચલાવવામાં આવ્યું. જેના ભાગ રુપે મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ઠેર ઠેર રોપા વિતરણ તથા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું.
આ વિશ્વ પર્યાવરણ દિવસ પર બાળકોમાં વિશેષ જાગૃતિ આવે તે માટે મોડાસા ખાતે ઓનલાઈન નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જે વિલાસબેન પટેલના માર્ગદર્શનમાં ચોવીસ બાળકોએ પોતાના ઘેર જ નિબંધ લેખન કરી ઓનલાઈન મોકલી ભાગ લીધો. જેનું પરિણામ ગાયત્રી જયંતી પર વેબ સેમિનારમાં જાહેર કરવામાં આવશે.
પર્યાવરણ વિષે વધુ જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી ગાયત્રી પરિવાર યુવા સંગઠન, ગુજરાતના અગ્રણી કિરીટભાઈ સોની દ્વારા આજે વેબ સેમિનાર યોજવામાં આવેલ છે. શાંતિકુંજ ,હરિદ્વારના વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં 12000 થી વધુ વૃક્ષો ઉછેરી જતન કરવામાં કાર્યશીલ છે. એવા પર્યાવરણ વિષયમાં નિષ્ણાંત ડૉ. સતિષ પટેલ દ્વારા આ વેબ સેમિનારમાં પર્યાવરણ બચાવો આંદોલન માટે વિશેષ માર્ગદર્શન આપવાનું આયોજન કરવામાં આવ્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *